પાકિસ્તાનની આંતરિક સલામતીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. જેમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને સરકાર અને સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક યોજી હતી.
પાક. PM ઇમરાનનો આદેશ, હાફિઝ સઈદની 2 સંસ્થા પર પ્રતિબંધ
ઇસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સરકારે એક મોટો પગલું લીધું છે. ઇમરાન ખાને હાફિઝ સઈદની 2 સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, હાફિઝ 2008નાં મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
ફાઈલ ફોટો
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ પગલાં લેવા માટે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
Last Updated : Feb 21, 2019, 11:43 PM IST