ગુજરાત

gujarat

તેલંગણામાં કોરોનાના 1,284 નવા કેસ, 6 મોત

By

Published : Jul 19, 2020, 10:53 AM IST

હૈદરાબાદ: તેલંગણામાં શનિવારે કોરોનાના નવા 1,284 કેસ સામે આવ્યાં છે. તેમજ 6 લોકોના મોત થયાં છે, ત્યારે કોરોનામાં કુલ મૃત્યુઆંકની સંખ્યા 409 પર પહોંચી ગઇ છે.

તેલંગાણામાં કોરોનાના 1,284 નવા કેસો, 6 મોત
તેલંગાણામાં કોરોનાના 1,284 નવા કેસો, 6 મોત

હૈદરાબાદ: તેલંગણામાં શનિવારે કોરોનાના નવા 1,284 કેસ સામે આવ્યાં છે. તેમજ 6 લોકોના મોત થયાં છે, ત્યારે કુલ મૃત્યુઆંક 409 પર પહોંચી ગયો છે.

જાહેર આરોગ્ય નિયામકના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં મૃત્યુ દર 0.93 ટકા પર છે. તેમજ કોરોનાના કુલ 12,765 કેસ સક્રિય છે. આ સાથે રાજ્યમાં કોરોના કુલ 47,780 કેસ નોંધાયા છે.

આ અંગે અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં એક જ દિવસમાં 1,902 લોકો સ્વસ્થ થતા તેમને રજા આપી દેવામાં આવી છે. શનિવારે રાજ્યમાં 14,883 પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details