હૈદરાબાદ: આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18552 નવા કોવિડ-19ના કેસ નોંધાયા હતા. કોરોના કેસની સંખ્યા 5 લાખથી વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 384 લોકો મૃત્યુ પામ્યા હતા.
દિલ્હી
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારે કોવિડ -19ના દર્દીઓ માટે બેડ વધાર્યા છે. પરીક્ષણની સંખ્યામાં વધારો કર્યો છે. હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીઓને ઓક્સિમીટર અને પ્લાઝ્મા થેરાપી ઉપલબ્ધ કરાવ્યા છે.
કર્ણાટક
બીએસ યેદિયુરપ્પાની આગેવાનીવાળી સરકારે નિર્ણય લીધો છે કે, 5 જુલાઈથી રાજ્યભરમાં દર રવિવારે કડક લોકડાઉન જોવા મળશે. અહેવાલો અનુસાર, સરકારી કચેરીઓમાં 10 જુલાઇથી 5 દિવસનો સપ્તાહ રહેશે. રાત્રિના કર્ફ્યૂ સમયને રાત્રે 8 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બદલવામાં આવ્યો છે. 100 વર્ષની વૃદ્ધ મહિલાએ કોરોનાને માત આપી છે.
મહારાષ્ટ્ર
મુંબઈ નજીક એક ગામને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જે વ્યક્તિના લગ્ન થવાના હતા તેનો ભાઈ ઈન્ફેક્શનથી મૃત્યુ પામ્યો હતો. લગભગ 90 લોકો હલ્દીના પ્રસંગમાં ભાગ લીધો હતો. દરેક લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશ
કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશને કોરોના વાઈરસ વિરુદ્ધની લડતમાં 500 વેન્ટિલેટર પૂરા પાડ્યા છે. તેમાંથી 178 ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર છે અને બાકીના 322 આઇસીયુ વેન્ટિલેટર છે. મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો અને અન્ય આરોગ્ય સંસ્થાઓમાં વેન્ટિલેટર લગાવવામાં આવી રહ્યાં છે કે જ્યાં કોવિડ કેસ છે.