ગુજરાત

gujarat

જાણો સમગ્ર દેશમાં કોરોના કેસની સંખ્યા...

By

Published : Jun 24, 2020, 10:45 PM IST

નવી દિલ્હી: કોવિડ -19 ના સંક્રમણ બાદથી દેશમાં 73.5 લાખથી વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે અને મંગળવારે એક દિવસમાં 2.5 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ એ અત્યાર સુધીમાં દેશની 1000 પ્રયોગશાળાઓને કોવિડ -19નું ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.

કોરોના કેસ
કોરોના કેસ

હૈદરાબાદ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 15,968 નવા કેસો અને 465 લોકોના મોત સાથે દેશમાં બુધવારે કોરોનાની કુલ સંખ્યા 4,56,183 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય મુજબ, દેશમાં ચેપને કારણે અત્યાર સુધીમાં 14,476 મૃત્યુ નોંધાયા છે.

કોરોના કેસ
  • દિલ્હી

જૂનના પ્રારંભિક અઠવાડિયામાં, દિલ્હીમાં કોરોનાન કેસોમાં વધારો થઇ રહ્યો છે. મે મહિનામાં 500 થી હજારની વચ્ચે દિલ્હીમાં કેસ આવતાં હતાં, પરંતુ જૂનમાં આ આંકડો 1500 ને વટાવી ગયો અને તે પછી, ત્રણ હજાર પોઝિટિવ કેસ આવવા લાગ્યા છે. હવે દિલ્હીમાં કોરોના ચેપનો આંકડો 70 હજારને પાર કરી ગયો છે.

  • મહારાષ્ટ્ર

મુંબઈમાં કોરોનાના 1144 નવા કેસ નોંધાયા છે અને 38 લોકોના મોત નીપજ્યા છે. શહેરમાં કેસની કુલ સંખ્યા વધીને 69,625 થઈ ગઈ છે.મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3890 કેસ નોંધાયા છે અને 208 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,42,900 થઇ ગઇ છે.

  • પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 445 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 15,173 થઈ છે, જેમાંથી 9702 લોકો સાજા થઇ ગયા છે અને હજી પણ 4880 કેસ સક્રિય છે અને કુલ 591 લોકોના મોત નીપજ્યાં છે.

  • હરિયાણા

હરિયાણામાં કોરોનાના 490 નવા કેસ નોંધાયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 12,010 થઈ છે. અત્યાર સુધીમાં 6925 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ 188 લોકોના મોત નીપજ્યાં છે.

  • ગોવા

ગોવામાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા છે. આ સાથે, અહીં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 951 થઇ ગઇ છે. જેમાંથી 660 કેસ સક્રિય છે તથા 289 સાજા થયા છે અને બે લોકોના મોત નીપજ્યાં છે.

  • રાજસ્થાન

રાજસ્થાનમાં ચેપના 382 નવા કેસ નોંધાયા છે અને 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 16,009 થઈ છે, જેમાંથી 3023 કેસ સક્રિય છે અને 375 લોકોનાં મોત નીપજ્યાં છે.

  • ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 572 નવા કેસ નોંધાયા હતા અને 25 લોકોના મોત નીપજ્યા હતાં. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 29,001 પર પહોંચી ગઈ છે, જેમાંથી 21,096 લોકો સાજા થયા અને 1736 લોકોના મોત નીપજ્યાં છે.

  • તમિલનાડુ

તમિલનાડુમાં ચેપના 2865 નવા કેસ નોંધાયા છે અને 33 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 67,468 પર પહોંચી ગઈ છે અને મૃત્યુની સંખ્યા 866 પર પહોંચી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details