કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કોવિડ -19 ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યના સાત જિલ્લાઓમાં બે કેન્દ્રિય ટીમો તૈનાત કરવાના કેન્દ્રના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું કે અમે તમામ રચનાત્મક ટેકા અને સૂચનોનું સ્વાગત કરીએ છીએ, ખાસ કરીને કોરોના વાઇરસ સંકટને હરારવવા માટે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. જો કે, કેન્દ્ર જેના આધારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ પશ્ચિમ બંગાળ સહિત ભારતના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં આઇએમસીટી તૈનાત કરવાની દરખાસ્ત કરી રહ્યું છે તે સ્પષ્ટ નથી.