પંજાબ: પંજાબમાં કોરોના વાઈરસને કારણે પ્રથમ મોતનો મામલો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જર્મનીથી પોતાના ગામ પરત ફરેલા 70 વર્ષીય વૃદ્ધ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. ગામ પઠવાલા નિવાસી વ્યક્તિ જર્મનીથી ઇટાલીમાં 2 કલાકના રોકાણ બાદ પોતાના ગામ પઠવાલા પહોંચ્યા હતા.
કોરોના વાઈરસને કારણે દેશમાં ચોથી વ્યક્તિનું મોત, પંજાબમાં એક વૃદ્ધે ગુમાવ્યો જીવ
દેશમાં કોરોના વાઈરસને કારણે આજે પંજાબમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કોરોના વાઈરસના વધતા પ્રકોપને જોતા ICSE બોર્ડે ધો.10 અને 12ની પરીક્ષાઓ રદ કરી છે. આ પહેલા કેન્દ્ર સરકારે CBSEને પરીક્ષાઓ રદ કરવા જણાવ્યું હતું. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 170ને પાર પહોંચી ગઈ છે.
કોરોના વાઇરસને કારણે દેશમાં ચોથી વ્યક્તિનું મોત, પંજાબમાં એક વૃદ્ધે ગુમાવ્યો જીવ
તેમને છાતીમાં અચાનક દુખાવો તથાં પરિવારજનોએ તેમને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું છે. તેમના બ્લડના સેમ્પલ લીધા બાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મૃતકના પરિવારજનોને કોરોનાથી બચાવની જાણકારી આપ્યા બાદ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે સોંપી દીધો હતો. કોરોનાથી વૃદ્ધનું મોત થયા બાદ ગામ પઠલાવાને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. તેના કારણે ગામમાં કોઈ અવર-જવર કરી શકશે નહીં.