નવી દિલ્હી: ભારતમાં કોવિડ -19 ના 75,829 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાની કુલ સંખ્યા વધીને 65 લાખથી વધુ થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 55,09,967 લોકો સ્વસ્થ થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 75,829 નવા કોરોના કેસ, 940ના મોત
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરના રોજ કોવિડ -19 ના કુલ 7,89,92,534 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી ગઈકાલે (શનિવાર) 11,42,131 નમૂનાઓના ટેસ્ટ કરવામાં આવી હતી.
કોરોના
આંકડા મુજબ નવા કેસો સામે આવ્યા બાદ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 65,49,374 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં મૃતકોની સંખ્યા વધીને 1,01,782 થઈ ગઈ છે અને 940 લોકોના મોત થયા છે. આંકડા મુજબ, દેશમાં કોરોના 9,37,625 સક્રિય કેસ છે.