નવી દિલ્હી : કોરોના મહામારીને લઈ ભારતમાં 21 દિવસ સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી લોકોનો રોજગાર બંધ થયો છે. સરકારની સાથે વિપક્ષના લોકો પણ લૉકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યા છે. આ તકે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટેલીકૉમ કંપનીઓને પત્ર લખ્યો છે. તેમજ એક મહિના સુધી ફ્રી કોલિંગની માગ કરી છે.
પ્રિયંકા ગાંધીએ મુકેશ અંબાણી (Jio), કુમાર મંગલમ બિરલા (Vodafone Idea), પીકે પુરવાર (BSNL) અને સુનીલ ભારતીય મિત્તલ (Airtel)ને પત્ર લખી ઈનકમિંગ અને આઉટગોઈગ કૉલ ફ્રી કરવાનો આગ્રહ કર્યો છે.