ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાનો કેરઃ એર ઈન્ડિયાએ રદ કરી દક્ષિણ કોરિયા અને ઈટલીની તમામ ફ્લાઇટ - એર ઈન્ડિયાએ રદ્દ કરી દક્ષિણ કોરિયા અને ઈટલીની તમામ ફ્લાઇટ

ભારતમાં વધારો થઇ રહેલા કોરોનાની અસરને અટકાવવા માટે એર ઈન્ડિયાએ દક્ષિણ કોરિયા અને ઈટલીની તમામ ફ્લાઇટ રદ કરી છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 67 કેસ સામે આવ્યા છે. જેથી અગાઉ કેન્દ્ર સરકારે 15 એપ્રિલ સુધી ભારતના પ્રવાસી વિઝાને રદ્દ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 4,000ને પાર પહોંચી છે.

ETV BHARAT
કોરોનાનો કેરઃ એર ઈન્ડિયાએ રદ્દ કરી દક્ષિણ કોરિયા અને ઈટલીની તમામ ફ્લાઇટ

By

Published : Mar 12, 2020, 12:19 PM IST

નવી દિલ્હીઃ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ મહામારીને ફેલાવવાથી રોકવા માટે એર ઇન્ડિયાએ દક્ષિણ કોરિયા અને ઇટલીની તમામ ફ્લાઇટને રદ કરી છે. એર ઇન્ડિયાના અધિકારીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી.

એર ઇન્ડિયાએ દક્ષિણ કોરિયાની ફ્લાઇટ 25 માર્ચે અને ઇટલીની ફ્લાઇટ 28 માર્ચ સુધી રદ કરી છે. પ્રવાસી વિઝાને લઇને સરકારે નિવેદનમાં કહ્યું કે, રાજદ્વારી, સત્તાવાર, સંયુક્ત રાષ્ટ્ર/ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વર્કિંગ અને પ્રોજેક્ટ વિઝા સિવાયના તમામ હાલના વિઝા 15 એપ્રિલ 2020 સુધી સ્થગિત કરવામાં આવે છે. આ 13 માર્ચ 2020ના બપોરના 12 વાગ્યાથી બધા પ્રસ્થાન સ્થળોથી લાગૂ રહેશે.

ભારતમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા 65ને પાર પહોંચી છે. ભારત સરકારે આની સામે લડવા માટે ઘણા પલગાં ભર્યાં છે. ભારતમાં અસરગ્રસ્ત લોકોમાં ઇટલીના લોકો પણ સામેલ છે.

ચીનના વુહાન શહેરમાંથી આવેલા આ વાયરસે 4,300થી વધુ લોકોનો જીવ લીધો છે. આ વાયરસથી સવા લાખ લોકો અસરગ્રસ્ત છે. બુધવારે WHOએ આ રોગને વૈશ્વિક મહામારી જાહેર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details