ગુજરાત

gujarat

By

Published : May 16, 2020, 11:56 AM IST

ETV Bharat / bharat

દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 85 હજારને પાર, 2,752 લોકોના મૃત્યુ

દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 86 હજારની નજીક પહોંચી ગઇ છે. દેશમાં કુલ કેસ 85 હજાર 940 થયા છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 2,752 લોકોના મોત થયા છે.

Corona cases in the country
દેશમાં કોરોનાના કેસ 86 હજારની નજીક, કુલ 2,752 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 86 હજારની નજીક પહોંચી ગઇ છે. દેશમાં કુલ કેસ 85 હજાર 940 થયા છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 2,752 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે દેશમાં 53,035 લોકોનો ઇલાજ ચાલી રહ્યોં છે જ્યારે 30,153 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ચેપગ્રસ્ત લોકોમાં વિદેશી નાગરીક પણ સામેલ છે. કોરોનાને કારણે દેશમાં સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે.દેશમાં અત્યારે 53 હજાર 035 કોરોનાના એક્ટીવ દર્દીઓ છે.

જાણો ક્યા રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1,019 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે કોરોનાના કેસની સંખ્યા 27,100 સુધી પહોંયી છે.

મધ્ય પ્રદેશમાં કોરોનાના 4,426 કેસ છે, જ્યારે 237 લોકોના મૃત્યુ થયા છે.

દિલ્લીમાં કોરોનાના 8,470 કેસ છે, જ્યારે કોરોનાથી 115 લોકોના મૃત્યુ થયા છે.

આસામમાં કોરોનાના 87 કેસ છે, જ્યારે કોરોનાથી 2 લોકોના મોત થયા છે.

બિહારમાં કોરોનાના 994 કેસ. 7 ના મૃત્યુ.

ગુજરાતમાં કોરોનાના 9932 કેસ. 606 લોકોના મૃત્યુ.

હરિયાણામાં કોરોનાના 818 કેસ. 11 લોકોના મોત.

ઝારખંડમાં કોરોનાના 197 કેસ, 2 લોકોના મૃત્યુ.

કર્ણાટકમાં કોરોનાના 987 કેસ. 35 લોકોના મૃત્યુ.

પંજાબમાં કોરોનાના 1935 કેસ. 32 લોકોના મૃત્યુ.

રાજસ્થાનમાં કોરોનાના 4534 કેસ. 125 લોકોના મૃત્યુ.

તેલંગાણામાં કોરોનાના 1,414 કેસ. 34 લોકોના મૃત્યુ.

ABOUT THE AUTHOR

...view details