નવી દિલ્હીઃ કોંગ્રેસે દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની બદલીના કારણે કાયદા પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું છે કે, "ન્યાય મંત્રાલયે ભાજપના નેતાઓને બચાવવા માટે જસ્ટિસ એસ મુરલીધરની બદલી દિલ્હી હાઇકોર્ટથી કરી દીધી."
સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ એસ. મુરલીધર અને ન્યાયાધીશ તલવંતસિંહે રમખાણો ઉશ્કેરવામાં ભાજપના નેતાઓની ભૂમિકા ઓળખ કરી હતી અને દિલ્હી પોલીસને તેમની સામે ફરિયાદ દાખલ કરવા અને બંધારણ અને કાયદા અનુસાર કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.