ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી સરકારે અંહકારમાં ભાષા અને મર્યાદા ભૂલાવી છે: કોંગ્રેસ - bjp

નવી દિલ્હી: કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ચૂંટણીના પાંચમા તબક્કા બાદ PM મોદીએ માની લીધું છે કે, તે ચૂંટણી હારી ચૂંક્યા છે. વાયદાઓના પહાડ ઉભા કરીને મોદી સત્તામાં આવ્યા પરંતુ જનતાની આશાઓ પર સાચા સાબિત નથી થયા તો અંતે સેનાનું રાજનીતિકરણ કરવા લાગ્યા છે.

ડિઝાઈન ફોટો

By

Published : May 8, 2019, 9:02 AM IST

Updated : May 8, 2019, 9:09 AM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, PM મોદીની લહેર નથી પરુંતુ તેમની નીતિઓની કહેર છે અને તેમની ભાષામાં ફક્ત ઝેર છે. આ PM મોદી અને ભાજપની વાસ્તવિકતા છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, PM મોદી લોકોની વચ્ચે ભમ્ર ફેલાવી રહ્યા છે કે 70 વર્ષમાં દેશમાં સરકારોએ કંઈ નથી કર્યું. જે પણ કંઈ વિકાસ થયો તે મોદીના આવ્યા બાદ થયો છે. જૂઠ્ઠી સરકાર અંહકારમાં ભાષા અને ભારતીય સંસ્કારોની મર્યાદાને ભૂલાવી દીધી છે. જે રાજીવ ગાંધીને ટેકનિકલ કાંત્તિના જનક માનવામાં આવે છે મોદીએ તે રાજીવ ગાંધીનું અપમાન કરી રહ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીની પ્રેસ કોન્ફરન્સ

સિંઘવીએ કહ્યું કે PM 5 વર્ષની સરકાર બાદ ચૂંટણી પ્રચારમાં સાબિત થયું કે, મોદી અને અમિત શાહ અભણ છે. તેમની પાસે હકીકતની જાણકારી નથી. જેથી તેઓ સર્જિકલ સ્ટ્રાઈકને અવી રીતે રજૂ કરે છે કે, અગાઉ દેશમાં ક્યારે થઈ જ નથી. ગત સરકારોએ 6 વાર સર્જિકલ સ્ટાઈક કરે છે અને હવે રિટાયર્ડ અધિકારી પણ આ વાતની પુષ્ટી કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મોદીને ખબર પડી ગઈ છે કે, ઝોલી પકડીને નિકળી જવાનો સમય આવી ગયો છે અને આ તેમના કર્મોનું ફળ છે. જેનું પરિણામ 23મે એ આવશે.

Last Updated : May 8, 2019, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details