ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી: કોંગ્રેસે ચોપરા અને પી.સી ચાકોનું રાજીનામું સ્વીકાર્યું, શક્તિ સિંહ ગોહિલ વચગાળાના પ્રભારી - શક્તિસિંહ ગોહિલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ સુભાષ ચોપરાએ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદે અને પી.સી ચાકોએ પ્રભારીના પદે રાજીનામું આપ્યું છે. રાજીનામું સ્વીકાર્યા બાદ શક્તિ સિંહને દિલ્લીના વચગાળાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

Chopra
દિલ્હી

By

Published : Feb 12, 2020, 10:46 PM IST

Updated : Feb 12, 2020, 11:39 PM IST

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી સાબિત થઈ હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટમાંથી આમ આદમી પાર્ટી (AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી (BJP)ને 8 સીટ મળી હતી અને કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. આ કારમી હાર મળ્યા બાદ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપરા અને પ્રભારી પીસી ચાકોના રાજીનામા મંજૂર કર્યા છે.

કોંગ્રેસે ચોપરા અને પી.સી ચાકોનું રાજીનામું સ્વીકાર્યું

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીની કમાન હવે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને દિલ્હીના વચગાળાના પ્રભારી બનાવ્યા છે. રાજધાની દિલ્હીમાં કોંગ્રેસની કમાન પીસી ચાકો સંભાળી રહ્યાં હતા. તો બીજી બાજુ દિલ્હી કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ સુભાષ ચોપરાને બનાવવામાં આવ્યા હતા.

ચાપરા

પ્રમુખ સુભાષ ચોપરાએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું હતું. રાજ્યના પાર્ટી ઈન્ચાર્જ પીસી ચાકોએ પણ રાજીનામું આપી દીધું હતું. બુધવારે આ બંને નેતાઓના રાજીનામા કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ સ્વીકારી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના વચગાળાના પ્રભારી તરીકે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને નિમણૂંક કરવામાં આવ્યા છે. શક્તિસિંહ ગોહિલ અત્યારે બિહાર કોંગ્રેસના પ્રભારી છે. જનરલ સેક્રેટરી કે.સી વેણુગોપાલે એક પત્ર જાહેર કરી જાણકારી આપી હતી કે, હવે દિલ્હીની કમાન શક્તિ સિંહ ગોહિલ સંભાળશે.

Last Updated : Feb 12, 2020, 11:39 PM IST

ABOUT THE AUTHOR

...view details