લખનઉઃ દેશમાં કોરોના વાઇરસની સાથે સાથે સંતોની હત્યાઓના પણ કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આ વાત પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુલંદશહેરમાં થયેલી સાધુઓની હત્યાની ઘટનાની જાત માહિતી મેળવી છે. તેમણે જિલ્લા અધિકારી, વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓને તરત જ સ્થળે પહોંચીને ઘટના અંગે વિસ્તૃત માહિતી આપવા તથા દોષિતો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.