લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બહરાઈચમાં થયેલા રોડ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમને આ આકસમાત સાથે જોડયેલા પરિવારો પ્રત્યે પોતાની સંવેદના દાખવી હતી.
UP CM યોગીએ બહરાઈચ દુર્ઘટનામાં કામદારના મોત પર વ્યક્ત કર્યો શોક - રોડ અકસ્માત
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બહરાઈચમાં થયેલા રોડ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમજ ઘાયલોને 50-50 હજાર તેમજ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
![UP CM યોગીએ બહરાઈચ દુર્ઘટનામાં કામદારના મોત પર વ્યક્ત કર્યો શોક CM યોગી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7206737-thumbnail-3x2-wer.jpg)
CM યોગી
મુખ્યપ્રધાન યોગીએ જિલ્લા વહીવટી તંત્રને ઘટના સ્થળે જઈ બનતી મદદ કરવા આદેશ કર્યો હતો. આ સાથે તેમણે ઘાયલોને 50-50 હજાર તેમજ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ઉલ્લખનીય છે કે, મુંબઈથી DCM પર સવાર થઈને ઘણા શ્રમિકો બહરાઈચ આવી રહ્યા હતા. જે દરમિયાન રોડ અકસ્માતમાં DCM પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 32 મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે 1 મહિલા મજૂરનું મોત નિપજ્યું હતું.