પશ્ચિમ બંગાળ: કોલકાતામાં પ્લાઝ્મા થેરાપીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સારવાર માટે સ્વસ્થ કોવિડ-19 દર્દીના લોહીના પ્લાઝ્માની અસરકારકતાને સમજવા માટે આ ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
સોમવારથી પ્લાઝ્મા દાતાઓ પર કોલકાતાની મેડિકલ કોલેજના ઈમ્યુનોએમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન ડિપાર્ટમેન્ટમાં પ્લાઝ્માં થેરાપી શરૂ કરવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલ કન્વલેસન્ટ પ્લાઝ્મા થેરેપીનું આ પ્રથમ પગલું છે. આ ટ્રાયલ મારફતે કોવિડ-19 ચેપના ઉપાયની આશા રાખવામાં આવી રહી છે.