ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીન સાથેના તણાવ અંગે ભાજપના સાંસદે કહ્યું- આ નહેરુનું નહીં મોદીનું ભારત છે - ભાજપના સાંસદ રાકેશ સિંહા

ભારત-ચીન સરહદ પર હાલ તણાવ ચાલી રહ્યો છે. અહેવાલો અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાકેશ સિંહાએ તેને ચીનની સુનિયોજીત ચાલ ગણાવી છે. તેમણે કહ્યું કે ચીને સમજી લેવું જોઈએ કે આ નહેરુનું નહીં પણ મોદીનું ભારત છે.

ભાજપ
ભાજપ

By

Published : May 27, 2020, 4:44 PM IST

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને સંઘના વિચારક રાકેશ સિંહાએ કહ્યું કે ચીન ગેરસમજની સ્થિતિમાં જીવે છે. તેને સમજવું જોઈએ કે 1962 અને 2020 વચ્ચે ઘણું તફાવત છે. તેમણે કહ્યું કે આ મોદીનું ભારત છે. પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે અને ચીને આ સ્વીકારવું જોઈએ.

સિંહાએ અક્સાઈ ચીન પરના ગ્લોબલ ટાઇમ્સના લેખને સંપૂર્ણપણે નકારી દીધો હતો. ચીનના આ અખબારમાં, અક્સાઇ ચીનને ચીનનો એક ભાગ ગણાવ્યો છે. સિંહાએ કહ્યું હતું કે ચીને ગેરકાયદેસર, અનૈતિક અને તમામ આંતરરાષ્ટ્રીય કાયદા અને સુશોભનને તોડીને આ ભાગને તેના નિયંત્રણમાં લીધો છે, વાસ્તવિકતા એ છે કે આ વિસ્તાર ભારતનો હતો, અને રહેશે.

તેમણે કહ્યું કે ચીન ભારત વુરુદ્ધ દરેક રીતેનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ઉત્તેજના પણ પેદા કરી રહ્યું છે. ભલે પછી તે સિક્કિમ, અરુણાચલ પ્રદેશનો હોય કે જમ્મુ-કાશ્મીરનો મોમલો હોય.

રાકેશ સિંહાએ કહ્યું કે ચીન હાલના ભારતને 1962 ના ભારત તરીકે સમજી રહ્યું છે. ચીને સમજી લેવું જોઈએ કે આ 1962 ના પંડિત જવાહરલાલ નેહરુનું ભારત નથી. આ નરેન્દ્ર મોદીનું 2020 નું ભારત છે.

ABOUT THE AUTHOR

...view details