બેઇજિંગ: લદ્દાખના ગાલવાન ખીણમાં ગઈકાલેરાત્રે ભારત-ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતના 3 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ ચીન હવે રાજરમત રમી રહ્યું છે.
ચીને ભારતીય સેના પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભારતીય સૈન્ય તરફથી પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા હતા.