ગુજરાત

gujarat

કેરળમાં હાથણી સાથે થયેલી ક્રુરતા પર શોક વ્યક્ત કરાયો, ચૈન્નઈની શાળામાં અપાઈ શ્રદ્ધાંજલિ

By

Published : Jun 7, 2020, 12:46 PM IST

27 મેના દિવસે કેરળના પલક્કડ જિલ્લામાં માનવ ક્રુરતાનો શિકાર થયેલી હાથણીને ચૈન્નઇની એક શાળાના સ્ટાફ દ્વારા મીણબતી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Etv Bharat, Gujarati News,Chennai School
Chennai School

ચૈન્નઇઃ 27 મેના દિવસે કેરળના પલક્કડ જિલ્લામાં માનવ ક્રુરતાનો શિકાર થયેલી હાથણીને ચૈન્નઇની એક શાળાના સ્ટાફ દ્વારા મીણબતી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

કેરળમાં ગર્ભવતી હાથણીના મોત બાદ વન્ય જીવોની સાથે થનારી માનવ ક્રુરતાને લઇને એક નવી જંગ ચાલી છે. દેશના અલગ-અલગ ભાગોમાં હાથણીને અલગ-અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ કડીમાં ચૈન્નઇની એક શાળામાં કર્મચારીઓને હાથણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

એવરવિન શાળાના શિક્ષકો અને કર્મચારીઓએ 27 મેએ માનવ ક્રુરતાનો શિકાર થયેલી હાથણીને શ્રદ્ધાંજલિ આપવા માટે શુક્રવારે મીણબતી સળગાવી હતી. મીણબતી સળગાવા ઉપરાંત કર્મચારીઓએ પલક્કડમાં થયેલા અમાનવીય કૃત્ય માટે માફી પણ માગી હતી. તેમણે લખ્યું- 'વી આર સોરી'

મહત્વનું છે કે, વિગત 27 મેએ રાજ્યના પલકક્ડ જિલ્લામાં ફટાકડા ભરેલું અનાનસ ખાધા બાદ ઇજાગ્રસ્ત થયેલી ગર્ભવતી જંગલી હાથણીનું એક નદીમાં ડુબી જવાથી મોત થયું હતું.

અધિકારીઓએ કહ્યું કે, હાથીનું મોત વલ્લિયાર નદીમાં થયું હતું.

કેરળના વન પ્રધાન રાજૂએ પાંચ જૂને જણાવ્યું કે, અહીંના પલકક્ડ જિલ્લામાં એક ગર્ભવતી હાથણીના મોતને મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details