ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધી CAA પર 10 વાક્યો બોલી બતાવેઃ જે. પી. નડ્ડા - કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા

નવી દિલ્હી: ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ શનિવારે વિપક્ષ પર સંશોધિત નાગરિકતા કાયદા અંગે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો. તેઓએ યાદ અપાવતા કહ્યું કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ અને મનમોહન સિંહે પાડોસી દેશોના ધાર્મિક પરેશાનીથી પસાર થયેલા લોકોની મદદ કરવાનું સમર્થન કર્યુ હતું.

CAA મુદ્દે 10 લાઇન બોલી બતાવે રાહુલ ગાંધી : નડ્ડા
CAA મુદ્દે 10 લાઇન બોલી બતાવે રાહુલ ગાંધી : નડ્ડા

By

Published : Jan 19, 2020, 10:27 AM IST

નડ્ડાએ ભાષણ સમયે કહ્યું કે, 'હું વિપક્ષને પુછવા માગુ છુ કે CAAમાં શું સમસ્યા છે? હું રાહુલ ગાંધીને CAA પર 10 લાઇન બોલવાનું કહું છું. કોંગ્રેસનું દુર્ભાગ્ય છે. કે તેને CAAની કોઈ પણ જાતની જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં રહેનારા પાકિસ્તાની નાગરિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને જે. પી. નડ્ડાનો આભાર વ્યક્ત કરવા ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં.

આ સમયે લઘુમતી શરણાર્થીઓને સંબોધન કરતા નડ્ડાએ કહ્યું કે વિપક્ષ લોકોને એમ કહી ગેરમાર્ગે છે કે, કાયદા બાદ કરોડો શરણાર્થી દેશમાં આવશે. જેને સ્થાયી કરવા મુશ્કેલ બની જશે. આ કાયદો એ લોકો માટે છે જે 31 ડિસેમ્બર 2010 સુધીમાં ભારત આવ્યા હોય.

વધુમાં નડ્ડાએ કહ્યું કે વિપક્ષ લોકોને એ કહીને ગુમરાહ કરી રહ્યો છે કે CAAના લાગુ કર્યા બાદ તે તેની નાગરિકતા ગુમાવશે.

ABOUT THE AUTHOR

...view details