ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, જાણો સંપૂર્ણ વિગત - central cabinet meeting decisions today news in gujarati

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આજે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જેમાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે પ્રેસ સાથે વાતચીત કરીને નિર્ણયો અંગેને માહિતી આપી હતી.

central cabinet decisions

By

Published : Oct 23, 2019, 5:30 PM IST

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિલ્હી-NCRમાં અનાધિકૃત કોલોનીને કાયદેસર બનાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય BSNL-MTNLનું ખાનગીકરણ નહીં કરવાનો પણ નિર્ણય લીધો છે.

આ બેઠક દરમિયાન જાણકારી આપવામાં આવી કે, BSNL, MTNLને પાટા પર લઇ આવવા માટે 15 હજાર કરોડ રુપિયાના સરકારી બોન્ડ, 38 હજાર કરોડની રુપિયાની સંપતિનું મુદ્રીકરણ અને કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લઇ આવવામાં આવશે.

કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, BSNL, MTNL ને ન તો બંધ કરવામાં આવે છે અને ન તો તેનું વિનિવેશ કરવામાં આવે છે.

તો બીજી તરફ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકારે બળતણના છૂટક વ્યવસાયને બિન-પેટ્રોલિયમ કંપનીઓ માટે પણ ખોલી છે.

ABOUT THE AUTHOR

...view details