ગાયોની સંખ્યામાં 18 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે અને પશુગણતરીના તાજેતરના રિપોર્ટ અનુસાર દેશમાં ગાયોની સંખ્યા 14.51 કરોડ છે. જ્યારે ગૌધન(ગાય-બળદ)ની સંખ્યા 0.8 ટકાથી વધીને લગભગ 18.25 કરોડ થઈ છે. તો વળી ગૌ-જાતિય(ગાય, ભેંસ, બળદ, ઘેટા, યાક)ની સંખ્યા ગત પશુગણતરીની સરખામણીએ એક ટકાના વધારા સાથે 3.28 કરોડ થઈ ગઈ છે.
વિદેશી અથવા શંકર અને દેશી ઢોરની સંખ્યા ક્રમશ: 5.04 કરોડ અને 14.21 કરોડ થઈ છે. દેશી ગાયની સંખ્યા ગત પશુગણનાની સરખામણીએ 2019માં 10 ટકાનો વધારો નોંધાયો છે. વિદેશી અથવા શંકર ગૌધનન સંખ્યા ગત પશુગણતરીની સરખામણીએ આ વર્ષે 26.9 ટકા વધી છે.
જો કે, કુલ દેશી ગૌધનની સંખ્યામાં 6 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર 2012-2019 દરમિયાન દેશી ગૌધનની સંખ્યામાં ઘટાડો દર્શાવ્યો છે. ગત પશુગણતરી 2007-12ની સરખામણીએ 9 ટકાનો ઘટાડો થયો છે.
દેશમાં ભેંસની સંખ્યામાં ગત પશુગણતરીની સરખામણીએ એક ટકાનો વધારા સાથે 10.98 કરોડ થઈ છે.
દૂધાળુ પશુઓ(ગાય અને ભેંસ)ની સંખ્યા 6 ટકાથી વધીને 12.53 કરોડ થઈ છે.