ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Covid-19 દરમિયાન ભારતને ભૂખમરાથી બચાવવાનો નિર્ધાર - Anganwadi workers

કન્ઝ્યુમર અફેર્સ, ફુડ અને પબલીક ડીસ્ટ્રીબ્યુશન મીનીસ્ટરે સત્તાવાર રીતે આંકડો જાહેર કરતા કહ્યું છે કે ભારતમાં 53 મીલીયન ટન અનાજનો જથ્થાનો ઓર્ડર છે જેમાં 30 મીલિયન ચોખા છે જ્યારે બાકીના ઘઉં છે. બફર સ્ટોકના નોર્મસ કરતા તે ઘણું વધારે છે જેને આપણે જાળવવાની જરૂર છે.

Call for action to save India from hunger amid coronavirus lockdown
Covid-19 દરમિયાન ભારતને ભૂખમરાથી બચાવવાનો નિર્ધાર

By

Published : Apr 16, 2020, 11:38 PM IST

હૈદરાબાદ : કન્ઝ્યુમર અફેર્સ, ફુડ અને પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન મિનિસ્ટરે સત્તાવાર રીતે આંકડો જાહેર કરતા કહ્યું છે કે ભારતમાં 53 મિલિયન ટન અનાજનો જથ્થાનો ઓર્ડર છે. જેમાં 30 મિલિયન ચોખા છે, જ્યારે બાકીના ઘઉં છે. બફર સ્ટોકના નોર્મ્સ કરતા તે ઘણું વધારે છે. જેને આપણે જાળવવાની જરૂર છે. જેમ કે 7.6 મીલિયન ટન ચોખા અને 13.8 મીલિયન ટન ઘઉં છે. એક હકીકત એ પણ છે કે, ભારતમાં ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યા 200 મીલિયન એટલે કે 20 કરોડ છે. આહારને લઈને લાંબા સમયથી ચાલતી આ પરીસ્થીતિનો ક્યારેય અંત આવતો નથી. જે જથ્થો ગરીબો પાસે હોવો જોઈએ એ જથ્થો વેરહાઉસમાં હોય છે. અને હવે મોટા પ્રમાણમાં રવિ પાકનો જથ્થો તૈયાર છે. 2019-20ના તારણો પ્રમાણે ભારતમાં કુલ 292 મીલિયન ટન અનાજ પેદા થયું હતુ જે પાછલા વર્ષની સરખામણીએ 6.74 મીલિયન ટન વધુ હતુ.

હાલ આપણે ભૂખમરા અને Covid-19ની મહામારી બંન્નેનો સામનો કરવાનો છે. ખાસ કરીને હીજરત કરી રહેલા ગરીબો માટે આ એક મોટો પડકાર છે. તેમ છતા જો આપણે કર્મચારીઓને અને આપણી જાહેર સેવાઓને યોગ્ય રીતે ગોઠવી શકીએ તો આપણે આ પડકારને પણ પહોંચી વળીએ તેમ છીએ અને સાથે જ તેમને Covid-19થી બચાવી પણ શકીએ છીએ.

આ સમસ્યાનું સમાધાન 40 વર્ષ દરમીયાન આપણે ઉભી કરેલી આપણી પબલીક ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમ (PDS) તેમજ આંગણવાડી એટલે કે ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વીસની વ્યવસ્થા અને તેમાં રહેલા લોકોને આપેલી તાલીમમાં રહેલું છે. ICDSના કર્મચારીઓ ભારતના દરેક ગામડામાં છે. ICDSના કર્મચારીઓની સંખ્યા 1.7 મીલિયન છે જે આપણા આર્મ્ડ ફોર્સીસની તાકત કરતા પણ વધારે છે. તેઓ એક રીતે સામાજની અંદર જ કુપોષણ સામે લડી રહેલા યોદ્ધાઓ છે.

Covid-19ની સામે લડત આપવા માટે દેશમાં જ્યારે લોક ડાઉન કરવામાં આવ્યું ત્યારે અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતી સ્થળાંતરીત વસ્તી પર તેની સૌથી મોટી અસર પહોંચી. ભારતના અસંગઠીત ક્ષેત્રના લોકોના સ્થળાંતરીત શ્રમિકોના અસ્તિત્વનો આધાર આંતરીક સ્થળાંતર, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતુ સ્થળાંતર અને રાજ્યમાં જ એક સ્થળે થી બીજા સ્થળ સુધી થતા સ્થળાંતર પર છે. અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોના સ્થળાંતરનું કારણ ભૂખમરો છે. આ સમસ્યા ઉકેલવી એટલી સરળ પણ નથી. તો આપણે આ બંન્ને હેતુ સીદ્ધ થઈ શકે તેવુ કોઈ સમાધાન શોધવાની જરૂર છે. આ પરીસ્થીતિમાં ભૂખમરો જ દરેક સમસ્યનું મુળ છે. માટે એક વાત તો સ્પષ્ટ છે કે Covid-19ની કોઈ રસી નથી. આવી પરીસ્થીતિમાં આપણે આ કટોકટીમાં આપણી જાતને અને આસપાસના લોકોને મદદ કરીને કઈ રીતે નુકસાનને ઘટાડી શકીએ છીએ તે મહત્વનું છે.

એક નેતા તરીકે પ્રધાનમંત્રી આ કટોકટીની પરીસ્થીતિમાં મુખ્ય ભૂમિકામાં છે. તેમણે ICDS અને PDSના કર્મચારીઓને હેલ્થ અને મેડીકલના રીસોર્સીઝની જેમ Covid-19 સામેની લડાઈના પ્રથમ શ્રેણીના લડવૈયા તરીકે ગણવા જોઈએ. કેન્દ્ર અને રાજ્યોની સરકારો વચ્ચે યોગ્ય તાલમેલ બતાવીને આ કર્મચારીઓને આવવા જવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ. કેન્દ્રની FCI, RBI અનાજનો પુરવઠો પહોંચાડવા માટે કામ કરી રહી છે જ્યારે પરીવહન અને વહેંચણીનું કામ સ્થાનિક એજન્સીઓ કરી રહી છે.

આપણા કેન્દ્રના અને રાજ્યના નેતાઓ ICMR, વાયરોલોજીક અને અન્ય હેલ્થ એક્સપર્ટની સલાહને ધ્યાનમાં રાખીને કેટલી સમજદારી અને સહકારથી નિર્ણયો હાથ ધરીને આપણા સ્થળાંતરીત શ્રમિકો સુધી અનાજ પહોંચાડવાનું કામ કરે છે તેના પર આ પરીસ્થીતિનો ઉકેલ કેટલો જલ્દી આવી શકશે તેનો આધાર છે. આ બંન્ને વચ્ચે સમતુલન જાળવવુ ખુબ જરૂરી રહેશે.

જેવી રીતે આ પહેલા આપણે દુકાળ અને ભૂખમરાની સ્થીતિમાં ‘ટેસ્ટ પબલીક વર્ક્સ’ ખોલીને પરીસ્થીતિનો સામનો કર્યો હતો તેવી જ રીતે હાલની પરીસ્થીતિમાં આપણે કેટલીક ચોક્કસ જગ્યાઓ પર ભોજન માટેની ની:શુલ્ક વ્યવસ્થા શરૂ કરીને સ્થળાંતરીત અને ભુખ્યા લોકો માટેની પુછપરછ હાથ ધરવી જોઈએ. જેનાથી આપણે વર્તમાનમાં ભૂખમરાનુ પ્રમાણ પણ જાણી શકીએ. તેનાથી આપણે ગરીબ શ્રમીકોને ભોજન અને સલામતી તેમજ સહકારનો અહેસાસ પણ કરાવી શકીશું. દરેક જગ્યાએ ભૂખ્યા લોકો હશે અને માટે આપણે આ અભિયાન દરેક જગ્યાએ ચલાવવું પડશે. આ પ્રકારના લોકો દરેક શહેરમાં ઝૂપડપટ્ટીમાં, દરેક ગામડામાં, સુકા વિસ્તારોમાં, અવિકસીત વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં તેમજ દુષ્કાળગ્રસ્ત અને રણ વિસ્તારોમાં દરેક જગ્યાએ જોવા મળશે. આ રીતે આપણે ભારતના દરેક ભૂખ્યા લોકો સુધી પહોંચી શકીશુ કે જે આશરે 20 કરોડ છે. આ મહાઅભિયાનને પાર પાડવા માટે આંગણવાડી સેન્ટર અને આંગણવાડી કર્મચારીઓ જો કામના કલાકો ઉપરાંતના કેટલાક કલાકો કામ કરે તો આપણે આ અભિયાનની શરૂઆત કરી શકીએ છીએ. તેમની પાસે તેમનું પોતાનું કહી શકાય તેવું એક સ્થળ છે જે ઝૂપડપટ્ટીમાં રહેનારા દરેક વ્યક્તિ અને ગામડામાં વસવાટ કરતા લોકો માટે અજાણ્યુ નથી. આપણે તેમને દરેક પ્રકારે સુરક્ષા, વધારાનું મહેનતાણુ, વિવિધ પ્રકારના રક્ષણાત્મક ઉપકરણો તેમજ મેડીકલના સાધનોની ખાતરી આપવી પડશે તેમજ તેમને સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાની તાલીમ પણ આપવી પડશે. તેમજ તેમના પરીવાર માટે ફેમેલી વીમાની વ્યવસ્થા પણ કરવી પડશે.

આપણે સામાન્ય ચુંટણીમાં ભારતના દરેક ખુણાને આવરી લઈને દુરસુદુરના વિસ્તારના લોકો સુધી પહોંચીએ છીએ તેવી જ રીતે આ પરીસ્થીતિમાં પણ દરેક સરકારી કર્મચારીને બોલાવીને તેમને લોકો સુધી પહોંચવા માટે તૈયાર કરવા જોઈએ.

અનાજનો પુરવઠો પહોંચાડવાનું કામ દરેક જગ્યાએ થવું જોઈએ. ઓળખ કાર્ડ ધરાવતા અને ઓળખકાર્ડ ન ધરાવતા બંન્નેને અનાજ પહોંચાડવુ જોઈએ. જો કે જેમની પાસે ઓળખકાર્ડ નથી તેવા લોકોને અનાજ આપતા પહેલા તેમની આસપાસના લોકો પાસેથી તેમના વીશે માહિતી મેળવવી જોઈએ. તે તેમના સ્વમાન અને ગૌરવ માટે મહત્વપુર્ણ છે. આ ઉપરાંત આપણે આવા શ્રમિકો અને તેમના જેવા જરૂરીયાતમંદો માટે કામચલાઉ રેશન કુપનની વ્યવસ્થા પણ કરી શકીએ કે જે માત્ર લોકડાઉન સુધી જ માન્ય હોય. હૈદરાબાદમાં COVA નામના એક NGO ના ધ્યાનમાં આવ્યું કે હીજરત કરી રહેલા ઘણા શ્રમિકો તેમની સાથે આધાર કાર્ડ રાખતા હતા જેથી તેમના વતનનું સરનામુ બતાવીને તેઓ ખાતરી અપાવી શકે કે તેઓ સ્થળાંતર કરી રહ્યા છે. તેમના આધારકાર્ડ ફરજીયાત ન હતા પરંતુ આ આધાર કાર્ડનો ઉપયોગ તેઓ તેનો ઉપયોગ કામચલાઉ કુપન મેળવવા માટે, રોજીંદી રેશનની દુકાન માંથી અનાજ મેળવવા માટે અથવા ફુડ કેમ્પમાંથી ફુડ મેળવવા માટે કરતા હતા. સ્થળ પરની પુછપરછથી સરકારી કર્મચારીઓ અને સ્થાનિક લોકોને સ્થળાંતરીત લોકો અને અન્ય ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની જાણકારી મેળવવામાં મદદરૂપ થાય છે. આમ કરવા પાછડનો હેતુ તમામ લોકોને અનાજ પહોંચાડવાનો અને સાથે જ સ્વમાનના તેમના અઘિકારની રક્ષા કરવાનો છે. આ પ્રકારનુ પગલુ તેલાંગાણા રાજ્યમાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાઓ દ્વારા ભરવામાં આવ્યું હતુ જેમણે સરકારી આદેશો જાહેર કરીને હૈદરાબાદના સ્થળાંતરીત શ્રમિકોને અનાજ અને સુરક્ષાની ખાતરી આપી હતી.

એક વાર સરકાર આગેવાની કરે ત્યાર બાદ દાતાઓ અને સ્વયંસેવકો આ અભિયાનમાં અચુક જોડાય છે કારણકે ધાર્મિક ક્રીયાઓ અને દાનનું મહત્વ દરેક ધર્મમાં બતાવવામાં આવ્યું છે. જો કહેવામાં આવે તો ભારતના લોકો ગરીબોની મદદે અચુક આવે છે.

મનરેગા દ્વારા પણ તેમના વેતનમાં જે અનાજને અવગણવામાં આવે છે તેનો સમાવેશ કરવો જોઈએ. જો કે તેમાં અનાજના પ્રમાણને મર્યાદીત કરી શકાય, જેમ કે દરેક પરીવાર દીઠ એક દીવસનું 2.5 થી 3 કીલો જેટલુ અનાજ આપી શકાય જેનાથી દરેક કામદારને વેતનની ખાતરી પણ મળશે.

હૈદરાબાદમા કામ કરતી સંસ્થા કોવા, ઓળખકાર્ડ વીના જ દરેક પરીવાર અને વ્યક્તિનો સર્વે કરે છે અને સ્થળાંતરીત લોકોની ઓળખ કરે છે. આ સર્વે કેટલીક સામાજીક પરીસ્થીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જેમ કે વિધવા, વૃદ્ધો, અનાથ; અથવા કેટલીક બીમારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જેમ કે ડાયાબીટીઝ કે બ્લડપ્રેશર... આ પ્રકારનો સર્વે દરેક રાજ્યમાં થવો જોઈએ. સ્વાભાવિક છે કે તેનું ફોર્મેટ અલગ અલગ રાજ્યની સ્થીતિ પ્રમાણે નક્કી કરી શકાય.

જો ટેસ્ટ, ટેસ્ટ અને ટેસ્ટ જ આ પરિસ્થીતિમાં મંત્ર હોય તો લોકો સુધી ખોરાક પહોંચાડવાનો મંત્ર અપનાવવા થી આ પરિસ્થીતિમાં ઘણી જ મદદ મળશે.

અંતે આ બધાજ પ્રોત્સાહનો, તેમજ લાખો અને કરોડો રૂપિયા કોઈપણ ઉદ્યોગના કેપ્ટન ન બની રહેવા જોઈએ. તેનો ઉપયોગ એ લોકો માટે થવો જોઈએ કે જેઓ અર્થતંત્રના સાચા વાહકો છે. આપણા આંગણવાડી કીચનને શાકભાજીથી ભરપુર થવા દઈએ અને આપણી સુકી ભૂમી પર બાજરી ઉગાડીએ. તેવી રીતે જ આપણા યોદ્ધાઓ કોરોના સામે લડવા માટે સક્ષમ બનશે.

(“Deliverance from Hunger, the Indian Public Distribution System”; and “The Integrated Child Development Services Programme, - A Flagship Adrift” નામના બે પુસ્તકના લેખક મુખ્યપ્રધાનના પૂર્વ સેક્રેટરી, કે. આર. વેણુગોપાલ છે.)

ABOUT THE AUTHOR

...view details