ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA વિરોધ: નિર્મલા સીતારમણે કહ્યું, લોકોને ભ્રમિત કરે છે કોંગ્રેસ પાર્ટી - Trinamool Congress

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી વતી નિવેદન જારી કરતાં વરિષ્ઠ નેતા નિર્મલા સીતારામણે દેખાવકારોને સુધારેલા નાગરિકતાનો કાયદો વાંચવા અને જરૂર પડ્યે સ્પષ્ટતા મેળવવા કહ્યું હતું. તેમણે દેખાવકારોને એમ પણ કહ્યું કે, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, આપ અને ડાબેરી પક્ષોથી લોકોએ સાવચેત રહેવું જોઈએ. આ પક્ષો લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે. તેમજ લોકોને ગેરમાર્ગે દોરી દેશના નાગરિકોમાં હિંસા અને ભય ફેલાવે છે.

Nirmala Sitaraman
નિર્મલા સીતારમણ

By

Published : Dec 21, 2019, 11:52 AM IST

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર સુધારેલા નાગરિકતાના કાયદાને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી તેમની નિંદા કરી હતી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં નિર્મલા સીતારામણે દેખાવકારોને આ કાયદો વાંચવા અને જરૂર પડ્યે સ્પષ્ટતા મેળવવા કહ્યું હતું. વધુમાં તેમણે દેખાવકારોને એમ પણ કહ્યું કે, લોકોએ એવી તાકતોથી સાવચેત રહેવું જોઈએ જે તેમને ભ્રમિત કરે છે અને દેશના નાગરિકોમાં હિંસા અને ભય ફેલાવે છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે, 'હું ભારતના તમામ નાગરિકોને અપીલ કરૂં છું કે, તેઓ આ મુંઝવણ અને ભયમાં લોકો ન આવે. કોંગ્રેસ, તૃણમૂલ, આપ અને ડાબેરી પક્ષો સુધારેલા નાગરિકતા કાયદા અને NRCને પરસ્પર જોડીને ડરનો માહોલ ઉભો કરી રહ્યાં છે. જ્યારે NRC તો હજી તૈયાર પણ નથી કરવામાં આવ્યો.

તેમણે કહ્યું કે, 'હું દેશના દરેક નાગરિકને અપીલ કરૂં છું કે, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, આપ અને ડાબેરી પક્ષો હતાશ થઈ ગયા છે. માટે તેનાથી પ્રભાવિત ન થવું જોઈએ'.

સીતારમણે કહ્યું કે, સુધારેલો નાગરિકતા કાયદો કોઈ પણ ભારતીયની નાગરિકતા છીનવવા માટે નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ કાયદાનો કોઈ ભારતીય નાગરિક સાથે કોઈ સંબંધ નથી.

વધુમાં સીતારમણે કહ્યું કે, 'એ દુર્ભાગ્યપૂર્ણ છે કે, કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સુધારેલા નાગરિકતાના કાયદા અંગે દેશની જનતાને ભ્રમિત કરી રહ્યાં છે અને તેને NRC સાથે ખોટી રીતે જોડી રહ્યાં છે. જ્યારે NRC હજી સુધી તૈયાર પણ કરવામાં આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details