ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલાથી ભડ્કયું બોલીવુડ, સેલેબ્રેટીઓએ ઠાલવ્યો રોષ...

મુંબઈ: જમ્મુ-કશ્મીરના પુલવામાં ગુરુવારે થયેલા હુમલાની સમગ્ર જગ્યાએ નિંદા થઈ રહી છે. જેના કારણે આખું બોલીવૂડ જગત પણ આનાથી નારાજ છે.

By

Published : Feb 15, 2019, 1:17 PM IST

સૌજન્ય: ટ્વિટર

આ હુમલામાં 44CRPF જવાનોના મોત થયા છે. 45થી વધુ જવાન ઘાયલ થયા છે. હિન્દી સિનેમા સાથે સંકળાયેલા સિતારાઓ તેની નિંદા કરી રહ્યા છે. અક્ષય કુમાર, સલમાન ખાન, અજય દેવગન, અભિષેક બચ્ચન, અશોક પંડિત, અનુપમ ખેર, મધુર ભંડારકર, વરુણ ધવન અને વિશાલ ડડલાની જેવા સ્ટાર્સે આ ઘટનાની નિંદા કરી છે.

ફિલ્મમેકર અશોક પંડિતે કહ્યું કે, 'આપણા 13 સૈનિકો જૈશ-એ-મોહમ્મદ દ્વારા આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. આ બધું જોવું ખુબ દુ:ખની વાત છે. એવા દેશમાં જ્યાં કહેવાતા લિબરલ્સ અફઝલ ગુરુની માફી માંગે છે, ત્યાં આવી ઘટનાઓ બનતી રહેશે. હું આપણા સૈનિકોને નુકસાન પહોંચાડે તેવા દુશ્મનોને તાત્કાલિક જવાબ આપવા સરકારને વિનંતી કરવા માંગુ છું. "પંડિતે વીડિયો દ્વારા તેમનું દુઃખ વ્યક્ત કર્યું હતું'

બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખે લખ્યું કે,'પુલવામાંથી ખરેખર દર્દનાક ખબરો આવી રહી છે. તે પરિવાર સાથે મારી સાંત્વના છે. જેને પોતાનાને આ ઘટનામાં ગુમાવ્યા છે. કાયરોએ એકવાર ફરી આવું નિદનીય કાર્ય કર્યું છે.'

ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં દેખાયેલ મોહિત રૈનાએ પણ આ હુમલાને કાયરતા તરીકે વર્ણવ્યું હતું. તેમણે લખ્યું કે, "ભારતના બહાદુર પુત્રોને શ્રદ્ધાંજલિ. જ્યારે તેઓને (આતંક) ખબર પડશે કે, કોઈ સ્વતંત્રતા નથી, કારણ કે કોઈ ગુલામી નથી, આ મર્યાદિત અને લોભી લોકો દ્વારા રમવામાં આવતી રમત છે. આ સીધી રીતે જીવનનું નુકસાન છે. "

અનુપમ ખેર અને મધુર ભંડારકરે પણ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી.

બોલિવૂડ સુલતાન સલમાન ખાન આ ઘટના અંગે ટ્વિટ કરી કર્યું છે. ટ્વિટમાં તેમણે શહિદોને શ્રદ્ધાંજલી અર્પિત કરતા તેમના પરીવારને સાંત્વના આપી હતી.

પ્રિયંકા ચોપડા એ પણ ઘટના પર ટ્વિટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે.

અક્ષય કુમાર આ ઘટનાથી અચંબામાં છે. તેમણે શહીદો શ્રદ્ધાંજલિ આપતા તેમના પરિવારોને સાંત્વના આપતા કહ્યું કે, આપણે આ ઘટનાને ભૂલવાની નથી.

અજય દેવગણ લખ્યું હતું - ભયાનક અને ઘૃણાસ્પદ. ગુસ્સાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

અભિષેક બચ્ચન આજે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, જ્યારે આપણે પ્રેમના દિવસ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે નફરતે તેનું માથું ઉચક્યું છે જે ખૂબ ઘૃણાસ્પદ છે. શહીદોને મારુ સલામ.

સ્વરા ભાસ્કરે તેને શરમજનક અને આઘાતજનક ઘટના કહી છે અને કહ્યું કે, આ રાક્ષસોને ન તો આત્મા છે કે ન તો તેમાં માનવતા છે.

ABOUT THE AUTHOR

...view details