ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ વિપક્ષમાં બેસીને પણ પ્રજાહિતનાં કાર્ય કરશે: સંજય જોશી - surat political news

સુરત: ભાજપના નેતા સંજય જોશી હાલ સુરત અને અંકલેશ્વરની મુલાકાતે આવ્યા છે. ગુરૂવારે તેઓ સુરત એરપોર્ટ ખાતે આવ્યા ત્યારે તેઓએ મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ વિપક્ષમાં બેસીને પણ પ્રજાના હિત માટે કાર્ય કરશે.

BJP will sit in opposition
BJP will sit in opposition

By

Published : Nov 28, 2019, 12:14 PM IST

અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપતા ભાજપનું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનુ સપનું ચકનાચુર થઈ ગયુ છે. જ્યારે આ અંગે સુરત આવેલા ભાજપના વરિષ્ઠ નેતા સંજય જોશીએ જણાવ્યું કે, હાલ ભાજપ વિપક્ષમાં બેસશે અને ભાજપ વિપક્ષમાં બેસીને લોકહિતના કાર્યો કરશે.

સંજય જોશીઃ ભાજપ વિપક્ષમાં બેસીને પણ પ્રજાહિતનાં કાર્ય કરશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ મહારાષ્ટ્રમાં એટલા માટે સરકાર બનાવી શકી નથી. કારણ કે, મહારાષ્ટ્રમાં અજિત પવાર ફરી ગયા છે, શિવસેનાએ પણ ભાજપનો સાથ છોડ્યો છે, તો હવે શિવસેના વિચારે. રાજનીતિમાં આવા ઉતાર ચઢાવ તો આવતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details