ગુજરાત

gujarat

By

Published : Jun 19, 2020, 9:36 PM IST

ETV Bharat / bharat

સાંસદ મનોજ તિવારીએ શહીદ સુનીલ કુમારના 3 બાળકોના શિક્ષણની જવાબદારી ઉપાડી

ભૂતપૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ઉત્તર પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ લદ્દાખ બોર્ડર પર ચીની સેના સાથે હિંસક અથડામણમાં શહીદ થયેલા સુનીલ કુમારના ત્રણ બાળકોને પ્રાથમિક સ્તરથી ઉચ્ચ શિક્ષા આપવાની જવાબદારી લીધી છે.

સાંસદ મનોજ તિવારી
સાંસદ મનોજ તિવારી

નવી દિલ્હી : મનોજ તિવારીએ કહ્યું કે, "મારા દ્વારા લેવાયેલી આ પહેલ શહાદતની સામે કઇંક નથી. જે દેશની રક્ષા કરતી વખતે સુનિલ કુમાર શહીદ થઇ ગયા છે તેનું મને ખુબ દુ:ખ છે. હું માનું છું કે મારી પહેલથી મારા અંદર જે સ્ટેન્ડ યુથ ઇન્ડિયન આર્મીની જે ભાવના છે તેની સંતોષ મળશે. જો કે દેશ માટે બલિદાન આપનાર શહીદ સુનિલ કુમારની ઇચ્છાને સાકાર કરવામાં માટે હું આ કામ કરી રહ્યો છું."

મનોજ તિવારીએ તમામ દેશવાસીઓને અપીલ કરી છે કે, બધા સક્ષમ લોકોએ સ્ટેન્ડ યુથ ઇન્ડિયન આર્મીનું સાથ આપવા માટે આ પહેલ કરવી જોઈએ. તો આ સાથે જ તિવારીએ શહીદના પરિવારને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

મનોજ તિવારીએ કહ્યું કે શહીદ સુનિલ કુમારના ભાઈ અનિલ કુમાર તેમની ભાઇના સ્વપ્ન વિશે કહ્યું કે તેમના ભાઈ સુનીલ કુમારની ઈચ્છા હતી છે કે, તેમના બાળકો આર્મી સ્કૂલમાં અભ્યાસ કરે. જે બાદ તેમણે શહીદ સુનિલ કુમારના ત્રણ બાળકોના ઉચ્ચ શિક્ષણની જવાબદારી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details