નવી દિલ્હી : લોનીના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર સામાન્ય રીતે ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે અભિનેત્રી અનુષ્કા શર્મા વિરુદ્ધ લોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એવું કહેવામાં આવતું હતું કે, અનુષ્કા શર્માની વેબ સિરીઝમાં વાંધાજનક કંટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગાઝિયાબાદમાં લોનીના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને જાનથી મારી નાખવાની ધમકી - nandkishor gurjar
ગાઝિયાબાદના લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકી આપવા માટે વપરાયેલા કોલના નંબરમાં કોડ પાકિસ્તાનનો હતો. પાકિસ્તાન તરફથી ધમકી મળી હોવાની જાણ થતાની સાથે જ લોનીએ પોલીસનેજાણ કરી હતી હતી. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
![ગાઝિયાબાદમાં લોનીના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને જાનથી મારી નાખવાની ધમકી ગાઝિયાબાદમાં લોનીના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને જાનથી મારી નાખવાની ધમકી મળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7487555-939-7487555-1591349996638.jpg)
તેમણે આરોપ લગાવ્યો હતો કે, વેબ સીરીઝમાં પાકિસ્તાનને સારૂ બતાવવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભૂતકાળથી ધારાસભ્ય પણ સતત હેડલાઇન્સમાં રહે છે. નંદકિશોર ગુર્જર બીજી ઘણી બાબતો પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. ધમકી આપનાર વ્યક્તિએ તેમના દ્વારા તેમના દ્વારા આપવામાં આવેલા અમુક નિવેદનોને લઇ ધમકી આપી હતી.
પોલીસને આશંકા છે કે આ નંબર બનાવટી હોઈ શકે છે. આ ફોન કોલ ઇન્ટરનેટ ક કોલિંગ દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાન સરળતાથી શોધી શકાય તેમ નથી. ઇન્ટરનેટ કોલિંગ દ્વારા ફોનના ડિસ્પ્લે પર દેખાતા નંબરોના અંકો પણ બદલી શકાય છે.જો કે, બધી બાબતો હજી પણ તપાસને આધિન છે. આ મામલે હાલમાં નંદકિશોર ગુર્જર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.