નવી દિલ્હી: ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ પણ દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામ ખાનની ભારત વિરોધી માનસિકતા અને ગેરરિતીઓ માટે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સામે રજૂઆત કરી છે. ધારાસભ્યએ પત્ર લખી પદ પરથી બરતરફ કરવાની માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ લખવાનો આરોપ
ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું છે કે, દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામ ખાને પોતાના બંધારણીય પદનો દુરુપયોગ કરતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, જો ભારતના મુસ્લિમો આરબ દેશોને ફરિયાદ કરશે , તો ભારતમાં ઉહાપોહ મચી જશે. અંગ્રેજીમાં લખેલી પોતાની પોસ્ટમાં તેઓ આતંકવાદી ઝાકિર નાયકને મુસ્લિમોનો હીરો પણ ગણાવી રહ્યાં છે. જે ભારત અને અન્ય દેશોમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.