ગુજરાત

gujarat

By

Published : Apr 8, 2019, 6:35 PM IST

ETV Bharat / bharat

ભાજપે 35-A હટાવાની વાત કરી છે તે આખરે છે શું ? જાણો એક ક્લિકમાં

ન્યૂઝ ડેસ્ક: ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા પોતાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કર્યો છે. જેમાં ભાજપે આગામી લોકસભા ચૂંટણી જો જીતશે તો કાશ્મીરમાંથી ધારા 35-A હટાવવાનો વાયદો કર્યો છે.

ડિઝાઇન ફોટો

વિતેવા અમુક વર્ષોમાં કશ્મીરના સંદર્ભમાં 35-Aનો ઉલ્લેખ થતો આવ્યો છે. આ એક વિવાદાસ્પદ મુદ્દો છે. જે હંમેશા સામાચારોમાં જ ચર્ચાતો રહ્યો છે.

આર્ટિકલ 35-A જમ્મુ-કાશ્મીરના નાગરિકોને એક વિશેષ અધિકાર આપે છે. જમ્મુ-કાશ્મીરમાં આ આર્ટીકલમાં કોઈ પણ રીતે બદલવા અંગે વિરોધ થઈ રહ્યો છે. તો ચૂંટણીને ધ્યાનમાં લઈને જમ્મુ-કાશ્મીરની મુખ્ય રાજનૈતિક પાર્ટીઓએ પણ 35-Aને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. આ લોકો 35-Aને હટાવવાના પુરા વિરોધમાં છે.

35-A ભારતીય બંધારણનો એક એવો અનુચ્છેદ છે, જે જમ્મુ-કાશ્મીર વિધાનસભાને લઈને વિશેષાધિકાર આપે છે. જે આ રાજ્યને જમ્મુના સ્થાનિક લોકો કોણ છે તે નક્કી કરવાની સત્તા આપે છે. જો કે 1956માં નિર્માણ પામેલી જમ્મુ-કાશ્મીરના બંધારણમાં સ્થાનિક નાગરિકતાની પરિભાષા અંગેની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

આ આર્ટિકલ જમ્મુ-કાશ્મીરમાં એવા લોકોને કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા કે માલિક બનવાથી રોકે છે, જે ત્યાંના સ્થાનિક નાગરીક નથી.

અનુચ્છેદ 35-A મુજબ જો જમ્મુ-કાશ્મીરની કોઈ પણ છોકરી જો રાજ્યાના બહારના અન્ય કોઈ છોકરા સાથે લગ્ન કરે તો તેને જમ્મુની પ્રૉપર્ટી સાથે જોડાયેલા તમામ અધિકારો ખતમ થઈ જાય છે. સાથે જ જમ્મુ-કાશ્મીરમા પ્રૉપર્ટી સાથે જોડાયેલા તેના બાળકોનો પણ અધિકાર ખતમ થઈ જાય છે.

આમ તો જમ્મુ-કાશ્મીરના બંધારણ મુજબ, ત્યાંના સ્થાયી નાગરીકો તેઓ છે, જે 14 મે 1954ના રોજ રાજ્યના નાગરીક રહ્યા હોય, અથવા તો 10 વર્ષથી રાજ્યમાં વસવાટ કરતા હોય અને જેઓએ ત્યાં પ્રૉપર્ટીની ખરીદી કરી હોય. તો જમ્મુના રાજા હરિસિંહ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટીસ મુજબ જમ્મૂ-કાશ્મીરના સ્થાયી નાગરીક તેઓ છે, જેઓ જમ્મૂ-કાશ્મીરમાં વર્ષ 1911 અથવા તે પહેલા જન્મ થયો હોય અથવા તો કાયદાકીય રીતે રાજ્યમાં પ્રૉપર્ટી ખરીદી હોય.

જમ્મુ-કાશ્મીરના અસ્થાયી નાગરીક લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકે છે પણ તેઓ રાજ્યના સ્થાનિક ચૂંટણીઓમાં મતદાન નથી કરી શકતા. જો જમ્મુના નાગરીકો પાસે મતદાર ઓળખકાર્ડ ન હોય તો પણ તેઓ મતદાન કરી શકે છે, માત્ર ત્યાંના ઓળખપત્રને આધારે તેઓ મતદાન કરી શકે છે.

આર્ટિકલ 35 કઈ રીતે અમલમાં આવ્યું?

મહારાજા હરિસિંહ જેઓ આઝાદી પહેલા જમ્મુ કાશ્મીરના રાજા હતા. તેઓએ નોટીસ આપી હતી કે, તેમના રાજ્યની પ્રજા કોને કોને માનવામાં આવે. આ નોટીસ વર્ષ 1927 તેમજ 1933માં તેઓએ જાહેર કરી હતી. આ બન્ને નોટીસમાં જણાવવામાં આવ્યું હતું કે, કોણ જમ્મુ-કાશ્મીરના નાગરિક બની શકે?

પછી જ્યારે ભારતની આઝાદી બાદ ઑક્ટોબર, 1947માં મહારાજા હરિસિંહે ભારત સાથે વિલય પત્ર પર હસ્તાક્ષર કર્યા તે બાદથી જ ભારતીય બંધારણમાં આર્ટિકલ 370 જોડાઈ ગયો. આ આર્ટિકલ જમ્મૂ-કાશ્મીરને વિશેષ અધિકાર આપે છે. આ બાદ કેન્દ્ર સરકારનો પાવર જમ્મુ-કાશ્મીરમાં ઓછો થઈ ગયો. હવે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં બસ સુરક્ષા, વિદેશ સંબંધ તથા સંચાર જેવી બાબતોમાં જ હસ્તક્ષેપ કરી શકે તેમ છે.

તો આ બાદ 14 મે 1954માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે એક જાહેરાત પાસ કરી હતી. જેના માધ્યમથી સંવિધાનમાં એક નવો અનુચ્છેદ 35-A જોડાઈ ગયો. જેમાં કલમ 370 અંતર્ગત અધિકાર આપવામાં આવતા હતા.

ABOUT THE AUTHOR

...view details