ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના પાણીના રિપોર્ટ પર કેજરીવાલનો સણસણતો જવાબ, રિપોર્ટ રાજનીતિથી પ્રેરિત હોવાનો દાવો - બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ દિલ્હીના પાણી પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. તેમણે આ રિપોર્ટને રાજનીતિથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું.આ રિપોર્ટમાં કહ્યું છે કે, દિલ્હીમાંથી લેવામાં આવેલા પાણીના નમુના ગુણવત્તા તપાસ દરમિયાન નિષ્ફળ રહ્યા છે.

file photo

By

Published : Nov 18, 2019, 10:45 AM IST

Updated : Nov 18, 2019, 10:52 AM IST

રામ વિલાસ પાસવાને આ અંગે શનિવારે કહ્યું હતું કે, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના તપાસના બીજા સ્ટેજમા જે રિપાર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, તેમા દિલ્હની સાથે કલકત્તા તથા ચેન્નઇના પાણીના નમુનાની પણ તપાસ દરમિયાન 11માંથી 10 નમુના નિષ્ફળ રહ્યા હતા. રવિવારના રોજ આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કરતા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વિકાસના નામે આપ સરકારે દિલ્હીના લોકોને ઝેરીલુ પાણી પીવડાવ્યું છે.

દિલ્હીના પાણીની રિપોર્ટ ખોટી અને રાજનીતિથા પ્રેરિત :કેજરીવાલ

ચાંદની ચોકથી ભાજપ સાંસદ ડૉ. હર્ષવર્ધને ટ્વીટ કર્યું હતું કે, ફ્રી પાણી આપવાના નામે કેજરીવાલે દિલ્હીના લોકોને ઝેરીલુ પાણી પીવડાવી રહ્યા છે. દેશના 20 શહેરોના સર્વેમાં દિલ્હી છેલ્લા સ્થાને છે. વિકાસના મોટા મોટા વાયદા કરનાર સરકાર લોકોને ચોખ્ખુ પાણી પણ આપી શકતી નથી.

જે બાદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું છે કે, સર તમે એક ડોક્ટર છો. તમને ખબર છે કે આ રિપોર્ટ ખોટો છે અને રાજકારણથી પ્રેરિત છે. તમારા જેવા વ્યક્તિએ ગંદા રાજકારણમાં ન ફસાવવું જોઈએ.

અહીં મહત્વનું છે કે, કેજરીવાલ દિલ્હી જળ બોર્ડના ચેરમેન પણ છે.

Last Updated : Nov 18, 2019, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details