લખનઉ: ભીમ આર્મીના પ્રમુખે ચંદ્રશેખર આઝાદ બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામની જન્ય જંયતીના દિવસે નવી રાજકિય ઈનિંગની શરુઆત કરી છે. ભીમ આર્મીના પ્રમુખે ચંદ્રશેખરે 'આઝાદ સમાજ પાર્ટી'ની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રશેખરની નવી પાર્ટીથી ઉત્તર પ્રદેશમાં માયાવતીની BSPને મોટો પડકાર મળી શકે છે.
નોંધનીય છે કે, ચંદ્રશેખર આઝાદને દલિત, પછાત વર્ગ અને મુસ્લિમોનો સપોર્ટ મળી શકે છે, જેથી ઉત્તર પ્રદેશમાં માયાવતીનો મોટા પડકાર મળી શકે છે. ભીમ આર્મી રાજકિય પાર્ટીમાં સોશિયલ મીડિયા અભિયાન કરશે, જેથી તેમની પાર્ટી લોકો સુધી પહોંચી શકે છે.