કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર દ્વારા બુધવારે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે, પરપ્રાંતિય મજૂરો અને અન્ય શ્રમિકોને કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભરણપોષણ માટે રૂપિયા 10,000ની એક વખતની આર્થિક સહાય આપવામાં આવે.
તેમણે ટ્વીટમાં જણાવ્યું, 'હું કેન્દ્રને અપીલ કરું છું કે, અસંગઠિત ક્ષેત્રના લોકો સહિત પરપ્રાંતિય મજૂરોને કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભરણપોષણ માટે રૂપિયા 10,000ની એક વખતની આર્થિક સહાય આપવામાં આવે.'