નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, વરિષ્ઠ નાગરિકો બેડસાઇડ એટેન્ડન્ટ્સ અને પ્રીપેઈડ મોબાઈલ કનેક્શન માટે રિચાર્જ સુવિધા સહિતની જાહેર ઉપયોગિતાઓને સેવાઓ પ્રદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે શહેરી વિસ્તારોમાં સ્થિત બ્રેડ ફેક્ટરીઓ અને ફ્લોર મીલો પણ લોકડાઉન દરમિયાન કામગીરી શરૂ કરી શકે છે.
ગૃહ મંત્રાલયે આપેલા આદેશ મુજબ, અત્યાર સુધી જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા દ્વારા મંજૂરી આપવામાં આવેલી ચોક્કસ સેવાઓ અને પ્રવૃત્તિઓની છૂટ અંગે કેટલાક પ્રશ્નો મેળવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રાલયે તેના આદેશમાં જણાવ્યું છે કે, બેડસાઈડ એટેન્ડન્ટ્સ અને તેમના ઘરોમાં વસતા વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખનારાઓ અને પ્રીપેઈડ મોબાઈલ કનેક્શન માટે રિચાર્જ સુવિધા સહિતની જાહેર સગવડતાઓની સેવાઓમાં છૂટ આપવામાં આવશે.