ગુજરાત

gujarat

ક્રેડિટ ફ્લો વધારવા બેંકો 400 જિલ્લાઓમાં મીટિંગ કરશેઃ નીર્મલા સીતારમણ

By

Published : Sep 19, 2019, 11:06 PM IST

Updated : Sep 20, 2019, 7:01 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે અર્થતંત્રને પાટા ઉપર લઇ આવવા વધુ એક જાહેરાત કરી છે. તેઓએ કહ્યુ કે, જાહેરક્ષેત્રની બેંકોના પ્રતિનિધિઓ દેશના 400 જિલ્લાઓમાં નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી)ના પ્રતિનિધિઓ અને સંભવિત ગ્રાહકો સાથે મીંટિંગ કરશે. આ ઉપરાંત ક્રેડિટ ઈચ્છતા ગ્રાહકોને પ્રોત્સાહીત કરાશે.

ક્રેડિટ ફ્લો વધારવા બેંકો 400 જિલ્લાઓમાં મીટિંગ કરશેઃ નીર્મલા સીતારમણ

તેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 29 સપ્ટેમ્બર સુધી 200 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. બાકીનાં 200 જિલ્લાઓમાં 10થી 15 ઓક્ટોબર સુધી બેઠકો કરાશે.

બેંકોની કામગીરીની સમીક્ષા માટેની બેઠક પછી પત્રકાર પરિષદમાં સીતારમણે કહ્યુ હતું કે, "અમે નક્કી કર્યું છે કે દેશના 200 જિલ્લાઓમાં 29 સપ્ટેમ્બર સુધીમાં એનબીએફસી મીંટિંગ કરાશે"

નાણાંપ્રધાને ઉમેર્યું હતું કે, "રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર આ કામગીરી ઉપર ધ્યાન આપશે. બેંકો પણ તેમના ગ્રાહકોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે. જેઓ ક્રેડિટ ઇચ્છે છે તેમને ક્રેડિટ અપાશે."નાણાંપ્રધાને બેંકોની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.

Last Updated : Sep 20, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details