ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ નેતા બાલ ગંગાધર તિલક

કોંગ્રેસમાં બાલ ગંગાધર તિલક તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ નેતા હતા, જેમને તેમના રાજકીય લેખન માટે તેમને બંદી બનાવવામાં આવ્યા હતા. બ્રિટિશ પત્રકાર વેલેન્ટાઇન ચિરોલે તિલકને ભારતીય અંશાતિના પિતા કહ્યા ત્યારે શાસકોએ તેને યોગ્ય ગણી પ્રતિક્રિયા આપી હતી.

By

Published : Aug 1, 2020, 8:19 PM IST

Bal Gangadhar Tilak in Congress
કોંગ્રેસમાં બાલ ગંગાધર તિલક

કોંગ્રેસમાં બાલ ગંગાધર તિલક તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ નેતા હતા, જેમને તેમના રાજકીય લેખન માટે તેમને બંદી બનાવવામાં આવ્યા હતા. બ્રિટિશ પત્રકાર વેલેન્ટાઇન ચિરોલે તિલકને ભારતીય અંશાતિના પિતા કહેયા ત્યારે શાસકોએ તને યોગ્ય ગણી પ્રતિક્રિયા આપી હતી. તે 1890માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા હતા. જો કે તે કોંગ્રેસની બ્રિટિશ શાસન સામે લડવાના અભિગમના કટ્ટર ટીકાકાર હતા.

1916માં તિલક ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા અને બ્રિટિશ એક્ટીવીસ્ટ, શિક્ષણશાસ્ત્રી અને સામાજીક અગ્રણી એન્ની બેસન્ટ સાથે મળીને સ્વરાજના અભિયાનને આગળ વધારવા માટે ઓલ ઇન્ડિયા હોમ રુલ લીગને તૈયાર કરી હતી અને તેમણે ખેડૂતોને એકત્રિત કરવા માટે ગામડાઓમાં મોટાપાયે પ્રવાસ કર્યો હતો.

હોમ રુલ ચળવળને કારણે તિલકનું રાષ્ટ્રીય નેતા તરીકે કદ વધતા 1917માં બ્રિટિશરોને મોન્ટાગુની જાહેરાત કરવાની ફરજ પડી હતી. 1916માં લખનઉમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેશનમાં જેમણે જાહેર કર્યુ હતુ કે સ્વરાજ એ ભારતીયનો જન્મસિધ્ધ અધિકાર છે. તેમણે લખ્યુ હતુ કે “ હવે સ્વરાજની માંગણી કરવાનો કે સરકાર બનાવવાનો સમય આવી ગયો છે.” કોઇ શાંતિના માર્ગેથી નહી આવે. હાલની વહીવટની પધ્ધતિ દેશ માટે વિનાશકારી છે. જેને સુધારવી કે સમાપ્ત કરવી આવશ્યક છે. કોંગ્રેસના આ નેતાઓ દ્વારા સ્વદેશી, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણના ત્રણ કાર્યક્રમોને ભારતના લોકો સમક્ષ રજુ કર્યા હતા. ફાળો

બહિષ્કાર, સ્વદેશ, રાષ્ટ્રીય શિક્ષણ અને પ્રતિકાર કરવા અંગેના ચાર મુદ્દાના કાર્યક્રમને તિલક અને અન્ય રાષ્ટ્રવાદી નેતાઓ દ્વારા દેશ સમક્ષ રજુ કરાયો હતો. જેને મંજુરી માટે અને સ્વીકારવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ મુખ્યરુપે બ્રિટિશરો સામે આર્થિક હથિયાર તરીકે શરુ થયો હતો. પરંતુ, ખુબ જ ઝડપથી તેનું રાષ્ટ્રીય રીતે મહત્વનું બની ગયુ હતું અને તે ચળવળનો મુખ્યભાગ બની ગયુ હતુ. આ કાર્યક્રમને કારણે બ્રિટીશ સરકારે બંગાળના બે ભાગલા પાડીને પ્રતિક્રિયા આપી હતી. પરંતુ, તેના કારણે અખિલ ભારતીય ચળવળનો શરુ થઇ હતી.

તેનો ઉપયોગ કરવાનું પ્રથમ કારણ સરકારને બંગાળમાં ફરીથી સંગઠિત કરવાનું હતુ પણ પરંતુ, ટુંક સમયમાં જ તે રાષ્ટ્રીય સ્તરે પુનઃ જાગૃતતા અને રાષ્ટ્રીય મુક્તિ સ્વરાજની ચળવળનો એક ભાગ બની ગયો હતો. આમ, આર્થિક મુદ્દાનો કાર્યક્રમ એક રાજકીય ચળવળમાં રુપાંતરિત થઇ હતી અને સ્થાનિક કેન્દ્રીત આંદોલન રાષ્ટ્રીય મુદો બની ગયો હતો. તો બ્રિટેશ નીતિમાં ફેરફાર તે ભારતમાં આર્થિક મક્કમતાના વિકસિત થયુ છે.

ભાગલા અને એકતા

તિલક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં મધ્સ્થી તરીકે પ્રવેશ્યા હતા. તેમ છંતાય, તેઓ બ્રિટિશ અમલદારશાહી અને બ્રિટિશ ન્યાયતંત્રનો વિશ્વાસ ગુમાવી બેઠા હતા.

તેમણે લખ્યુ હતુ કે “ હવે સ્વરાજની માંગણી કરવાનો કે સરકાર બનાવવાનો સમય આવી ગયો છે.” કોઇ શાંતિના માર્ગેથી નહી આવે. હાલની વહીવટની પધ્ધતિ દેશ માટે વિનાશકારી છે. જેને સુધારવી કે સમાપ્ત કરવી આવશ્યક છે.

તિલકે ગોપાલ કૃષ્ણ ગોખલેના મંતવ્યનો વિરોધ કર્યો હતો. જેને બંગાળના સાથી અને ભારતીય રાષ્ટ્રવાદી નેતા બિપિન ચંદ્ર પાલ, પંજાબમાં લાલા લજપતરાય તેનું સમર્થન કરવામાં આવ્યુ હતુ. બાદમાં ત્રણેયને લાલ-બાલ-પાલ ની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવ્યા હતા.

1907માં સુરત ખાતે રાષ્ટ્રીય કોગ્રેસ પાર્ટીનું વાર્ષિક અધિવેશન યોજાયુ હતુ. જેમાં પક્ષના કાર્યકરો અને કટ્ટપંથી વર્ગ વચ્ચે કોંગ્રેસના નવા પ્રમુખની પંસદગીને લઇને મુશ્કેલી સર્જાઇ હતી. જેના કારણે તિલક, પાલ ને લજપત રાયની આગેવાનીમાં જહલ માતવાદી અને માવલ માતવાદી પાર્ટી બની હતી. અરબિંદો ઘોષ, વી ચિદમ્બરમ પિલ્લઇ જેવા રાષ્ટ્રવાદીઓ તિલકના સમર્થકો હતા.

1916માં તેમણે ગોખલેના મરણ બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ફરીથી જોડાયા હતા. તેમણે 1916માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગની સંગઠન માટે મહત્વની ભુમિકા અદા કરી હતી.

મુહમ્મદ અલી ઝીણાના જણાવ્યા મુજબ તિલકે દેશમાં સામાન્ય જન સુધી સેવા આપી અને હિન્દુ મુસ્લિમ એકતા લાવવામાં ખુબ મહત્વની ભુમિકા અદા કરી. જે આખરે લખનઉ કરાર 1916માં પરિવર્તિત થયુ.

રોગચાળો અને ધરપકડ

વર્ષ 1896ના અંત ભાગમાં બોબાનિક પ્લેગ મહામારી બોમ્બેથી પુણા સુધી ફેલાયો અને જાન્યુઆરી 1897 સુધીમાં તે મોટાપ્રમાણના રોગચાળમાં પરિવર્તિત થઇ ગયો હતો.

રોગચાળાની કટોકટીનો સામનો કરવા માટે બ્રિટીશ સૈન્યને લાવવામાં આવ્યુ હતુ . જેમાં મકાનોમાં ઘુસીને ત્યાં રહેનારાઓની તપાસ કરવી, હોસ્પિટલોમાં સ્થળાંતર કરાવવા, આરોગ્યની તપાસ કરવી, લોકોની સંપત્તિનો નાશ કરવો, લોકોને શહેરમાંથી જતા કે પ્રવેશતા રોકવા સુધીના આકરા પગલા લેવામાં આવ્યા હતા. જેથી મે મહિનાના અંત સુધીમાં રોગચાળો કાબુમાં આવી ગયો હતો. તે સમયે બ્રિટીશ સત્તવાળાઓએ લીધેલા પગલા યોગ્ય હેતુ માટે લીધેલા હોવા છંતાય, પણ તેને વ્યાપક રીતે અત્યાચાર તરીકે જોવામાં આવતા હતા.

22 જુન 1897માં રેન્ડ અને અન્ય એક બ્રિટિશ અધિકારી લેફટનન્ટ યરસેટને ચાપેકર ભાઇઓ અને તેમના સાથીઓએ ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. તે સમયે તિલકે તેમની પત્રિકા કેસરીમાં મરાઠી અને અંગ્રેજીનાં હિન્દુ ધર્મગ્રંથ ભગવત ગીતાને ટાંકીને લખ્યુ હતુ કે જેણે હત્યા કરી છે તેમને દોષિત સાથે જોડી શકાતો નથી. આમ, બ્રિટીશરોની હત્યાનો મુદ્દો તેમણે લેખ દ્રારા ઉઠાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details