ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બે થી વધારે બાળકોને પેદા કરવા પર અંકુશ લાગશે તો દેશને કોઈ CM કે PM નહીં મળે: મૌલાના બદરૂદ્દીન અજમલ - maulana badruddin ajmal

ગુવાહટીઃ ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટના અધ્યક્ષ મૌલાના અદરૂદ્દીન અજમલે અસમ સરકારના બાળકો પેદા કરવા અંગેના નિર્ણયની કડક ટીકા કરી છે. આ અંગે તેમણે મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલની જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઝાટકણી કરી છે. તેમણે કહ્યું હતું કે સરકારના આ નિર્ણયથી મુસલમાનોને કોઈ ફર્ક નહીં પડે કારણ કે, મુસ્લિમો તો પહેલાથી જ સરકારી નોકરીઓથી બહાર છે.

બે થી વધારે બાળકોને પેદા કરવા પર અંકુશ લાગશે તો દેશને કોઈ CM કે PM નહીં મળે: મૌલાના બદરૂદ્દીન અજમલ

By

Published : Oct 27, 2019, 11:49 PM IST

મૌલાના બદરૂદ્દીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધતા જણાવ્યુ હતું કે, PM મોદી તેમના ભાઈ-બહેનમાં પાંચમા કે છઠ્ઠા નંબરે છે. જો પાંચમા કે છઠ્ઠા નંબરે બાળક પેદા ન કરાયું હોત તો PM મોદી પણ ન હોત.

અજમલે એમ પણ ઉમેર્યુ હતું કે, જો બે થી વધારે બાળકો પેદા ન કરાયા હોત તો મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલનું પણ અસ્તિત્વ ન હોત. કેમ કે તેઓ તેમના ભાઈ-બહેન વચ્ચે આઠમાં નંબરે છે. એટલે બે કરતાં વધુ બાળકોને જન્મ આપવાની મંજૂરી હોવી જોઈએ.

તેમણે કહ્યું કે, જો બે થી વધારે બાળકો પેદા કરવા ઉપર રોક લગાવાઈ તો દેશને ન તો કોઈ CM મળશે કે ન તો PM.

મૌલાના અજમલે કહ્યું હતું કે, સરકાર મુસલમાનોને નોકરી નહીં આપે. પરંતુ, મુસ્લિમો પર તેની કોઈ અસર નહીં થાય કારણ કે મુસલમાનો તો પહેલાથી જ નોકરીથી વંચિત છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details