ગુજરાત

gujarat

By

Published : Oct 1, 2020, 1:55 PM IST

ETV Bharat / bharat

બાબરી વિધ્વંસ કેસ: FIR અને અદાલતો, જાણો સમગ્ર ઘટનાક્રમ

6 ડિસેમ્બર 1992ના દિને અયોધ્યાની બાબરી મસ્જિદને તોડી પાડ્યાનાં લગભગ 28 વર્ષ પછી, લખનઉનું એક વિશેષ ન્યાયાલયે સંઘ પરિવારના કેટલાક મોટા નામોનું નસીબ નક્કી કરશે, જે ગુનાઇત કાવતરું અને 'ઉશ્કેરણી'ના આરોપી છે, જેના પગલે 16મી સદીનું માળખું તૂટી પડ્યું હતું. આ ઉપરાંત, અજાણ્યા કારસેવકો ખરેખર માળખું તોડી પાડવાની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

Babri demolition case
બાબરી વિધ્વંસ કેસ

હૈદરાબાદ :6 ડિસેમ્બર 1992ના દિને અયોધ્યાની બાબરી મસ્જિદને તોડી પાડ્યાનાં લગભગ 28 વર્ષ પછી, લખનઉનું એક વિશેષ ન્યાયાલયે સંઘ પરિવારના કેટલાક મોટા નામોનું નસીબ નક્કી કરશે, જે ગુનાઇત કાવતરું અને 'ઉશ્કેરણી'ના આરોપી છે, જેના પગલે 16મી સદીનું માળખું તૂટી પડ્યું હતું. આ ઉપરાંત, અજાણ્યા કારસેવકો ખરેખર માળખું તોડી પાડવાની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

ખટલાને કેન્દ્રમાં અને રાજ્યમાં વાટાઘાટો અને સરકારોમાં થતી ગતિ અને ગૂંચવણોના આધારે, ચાર વિભાગમાં વહેંચી શકાય છે.

ડિસેમ્બર 1992-ઑક્ટોબર 1993: ટ્રાયલ સુધીની ઘટનાઓ

  • કેન્દ્રની કૉંગ્રેસ સરકારે ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહની આગેવાનીવાળી સરકારને બરતરફ કરી અને 6 ડિસેમ્બર 1992ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાદ્યું જે 4 ડિસેમ્બર સુધી ચાલ્યું.
  • 6 ડિસેમ્બર 1992 | બાબરી મસ્જિદ તોડવાના દિવસે, બે કેસ
  • અયોધ્યાના રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે જુદીજુદી એફઆઈઆર દ્વારા ગુનો નંબર 197/1992 અને ગુના નંબર 198/1992 નોંધાયા. તપાસ દરમિયાન બીજી 47 વધુ એફઆઈઆર નોંધાઈ હતી.
  • કેસ નંબર 197/ 1992 | 6 ડિસેમ્બર 1992ના રોજ, સ્ટેશન હાઉસ ઑફિસર, આરજેબી પોલીસ સ્ટેશન, પી.એન. શુક્લ દ્વારા આઈપીસીની કલમ 395 (ધાડ), 397 (મારી નાખવાના પ્રયાસ સાથે ધાડ અથવા લૂટ), 332 (જાહેર સેવકોને અટકાવવા માટે ઈજા પહોંચાડવી), 337, 338 (ગંભીર ઈજા), 295 (કોઈ પણ વર્ગના પંથનું અપમાન કરવાના ઇરાદે પૂજા સ્થળને ઇજા પહોંચાડે છે અથવા અપમાનિત કરવું), 297(કોઈ પણ ઉપાસનાસ્થાનમાં ઘૂસવું) અને 153- એ (પંથના આધારે જુદા-જુદાં જૂથો વચ્ચે શત્રુતાને પ્રોત્સાહન આપવું) હેઠળ લાખો અજાણ્યા કાર સેવકો સામે સાંજે 5.15 વાગ્યે પ્રથમ એફઆઈઆર નોંધાઈ હતી. આ અહેવાલમાં ઘટનાનો સમય બપોરના 12 વાગ્યાથી 12.15 વાગ્યે દર્શાવવામાં આવ્યો છે. આ કેસ ગુના નં. 1992ના 198 હેઠળ નોંધવામાં આવ્યો છે.
  • કેસ નંબર 198/1992 | આ જ દિવસે બીજી એફઆઈઆર આરજેબી પૉલિસ ચોકીમાં પ્રભારી ગંગાપ્રસાદ તિવારીએ સાંજે 5.25 વાગે નોંધી હતી. તેમાં કહેવાયું હતું કે સવારે 10 વાગે તેઓ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કારસેવા પાસે ફરજ પર હતા ત્યારે તેમણે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, અશોક સિંહલ, વિનય કટિયાર, ગિરીરાજ કિશોર, વિષ્ણુ હરિ ડાલિમિયા, ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરા રામકથા કુંજ ખાતે મંચ પર બેઠાં હતાં અને તેઓ કારસેવકોને ભાષણો દ્વારા ઉશ્કેરી રહ્યાં હતાં. તેના પરિણામ રૂપે, ઘણા કાર સેવકો ગુસ્સે થયા અને વિવાદિત માળખું તોડી પાડ્યું. આ કેસ 1992ના ગુના નં.198 હેઠળ નોંધવામાં આવ્યો. આ નામ આપવામાં આવેલા લોકો પર તેજાબી ભાષણો આપવા, કોમી દ્વેષ ફેલાવવા, દુશ્મનાવટને પ્રોત્સાહિત કરવા, આરોપ લગાડવા અને રાષ્ટ્રીય એકતા માટે પૂર્વગ્રહયુક્ત અને જાહેર બદમાશી કરવા પ્રેરવાનો આરોપ મૂકાયો હતો.
  • મિડિયાના લોકોની ફરિયાદ પર બીજી ૪૭ ફરિયાદ નોંધાઈ હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના પર હુમલા થયા હતા, તેમના કેમેરા વગેરે છિનવી લેવાય હતા. આ ફરિયાદમાં લૂંટ, હુલ્લડ અને બદમાશી વગેરેના આરોપ લગાવાયા હતા.
  • ૧૦ ડિસેમ્બર ૧૯૯૨ | ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ૧૯૭/૧૯૯૨ અને ૧૯૮/૧૯૯૨ ના કેસો સીબી-સીઆઈડીને સોંપવામાં આવ્યા હતા. ઉ.પ્ર.માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યા બાદ કેસ નંબર ૧૯૮ના આધારે, ૮ ડિસેમ્બરે વિધ્વંસના બે દિવસ પછી અડવાણી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
  • ૧૩ ડિસેમ્બર ૧૯૯૨ | ૧૯૭/૧૯૯૨નો કેસ સીબીઆઈને આપ્યો હતો, જ્યારે ૧૯૮/૧૯૯૨નો કેસ સીબી-સીઆઈડી પાસે જ રહ્યો.
  • ૧૬ ડિસેમ્બર ૧૯૯૨ |ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે, પ્રયાગરાજ (તે વખતે અલ્હાબાદ) ઉચ્ચ ન્યાયાલય સાથે પરામર્શ કરીને લલિતપુર જિલ્લામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની વિશેષ ન્યાયાલયની સ્થાપના માટે ૧૯૭/૧૯૯૨ અને ૧૯૮/૧૯૯૨ સહિતના તમામ કેસોની સુનાવણી હાથ ધરી હતી. આ નિર્ણય લેવામાં આવ્યો હતો કારણકે રાજકીય નેતાઓને અયોધ્યા અથવા લખનઉમાં દાખલ થવા દેવાનું જોખમકારક માનવામાં આવતું હતું. તેથી પોલીસે તેમને લલિતપુરમાં એક ગેસ્ટ હાઉસમાં રાખ્યા હતા.
  • ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૩ | સીબી-સીઆઈડીએ કેસ ૧૯૮/૧૯૯૨માં લલિતપુર કૉર્ટમાં કલમ ૧૫૩-એ, ૧૫૩-બી, ૫૦૫, ૧૪૭ (હુલ્લડોની સજા), ૧૪૯ (ગેરકાયદેસર એકઠા થવું, સમાન હેતુ પૂરો કરવા કરાયેલા ગુનાઓ માટે દોષિત) હેઠળ આરોપપત્ર દાખલ કરાયો હતો..
  • ૧ માર્ચે વિશેષ મેજિસ્ટ્રેટે આરોપપત્રની નોંધ લીધી.
  • ૮ જુલાઈ ૧૯૯૩ | ઉચ્ચ ન્યાયાલય સાથે પરામર્શ કરીને ઉત્તર પ્રદેશ સરકારે એક જાહેરનામા દ્વારા ૧૨ ડિસેમ્બર ૧૯૯૨નું જાહેરનામું સુધાર્યું હતું અને ન્યાયિક મેજિસ્ટ્રેટના વિશેષ ન્યાયાલયની બેઠકનું સ્થળ લલિતપુરથી બદલીને રાયબરેલી કર્યું હતું. ૧૯૭/૧૯૯૨ અને ૧૯૮/૧૯૯૨ સહિત તમામ કેસોને રાયબરેલી ખસેડાયા હતા. આ એટલા માટે કરાયું કારણકે લલિતપુરનો પ્રવાસ કરવો તે સમય માગી લેતું અને તેનાથી વિવિધ સમસ્યાઓ ખડી થતી હતી.
  • ૨૬ ઑગસ્ટ ૧૯૯૩ | રાજ્ય સરકારની વિનંતી પર ૧૯૮/૧૯૯૨નો કેસ અને મિડિયા પર થયેલા હુમલાને લગતા ૪૭ કેસ પણ કેન્દ્ર દ્વારા સીબીઆઈને સોંપી દેવામાં આવ્યા હતા જેથી તેઓની તપાસ કરી શકાય અને ૧૯૭/૧૯૯૨ સાથે મળીને કેસ ચલાવવામાં આવે.
  • ૮ સપ્ટેમ્બર ૧૯૯૩ | તે વખતે રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહેલી ઉત્તર પ્રદેશ સરકારે ઉચ્ચ ન્યાયાલય સાથે પરામર્શ કરીને સમગ્ર ઉત્તર પ્રદેશના અધિકારક્ષેત્ર સાથે અધિક મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (અયોધ્યા બાબતો)ના નેતૃત્વ હેઠળ લખનઉમાં વિશેષ સીબીઆઈ ન્યાયાલય બનાવવાની સૂચના બહાર પાડી હતી.
  • ૯ સપ્ટેમ્બર ૧૯૯૩ | ૪૭ અન્ય કેસો સાથે ૧૯૭/૧૯૯૨ કેસ લખનઉના વિશેષ ન્યાયાલયને સોંપી દેવામાં આવ્યા હતા. જોકે ૧૯૮/૧૯૨નો કેસ જેમાં મોટા નેતાઓનાં નામનો સમાવેશ હતો તે સ્થાનાંતરિત નહોતો કરાયો અને રાયબરેલીમાં તેની સુનાવણી ચાલુ રહી.
  • ૯ સપ્ટેમ્બર ૧૯૯૩ | સીબીઆઈએ રાયબરેલી ટ્રાયલ કૉર્ટ પાસે ૧૯૮/૧૯૯૨ની ફરીથી તપાસ માટે પરવાનગી માગી હતી. ૧૦ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ ન્યાયાલય દ્વારા પરવાનગી આપવામાં આવી હતી.
  • ૧૭ સપ્ટેમ્બર ૧૯૯૩ | સીબીઆઈએ રાજ્ય સરાકરને ૧૯૮/૧૯૯૨નો કેસ લખનઉ વિશેષ ન્યાયાલયને સ્થાનાંતરિત કરવા રાજ્ય સરકારને વિનંતી કરી હતી જેથી બંને સંબંધિત કેસોનો ખટલો ન્યાયના હિતમાં સાથે ચલાવી શકાય.
  • ૫ ઑક્ટોબર ૧૯૯૩ | સીબીઆઈએ ૧૯૭/૧૯૯૨ અને ૧૯૮/૧૯૯૭ સહિતના તમામ ૪૯ કેસને એક કરી દીધા હતા અને લખનઉના વિશેષ ન્યાયાલયમાં સંયુક્ત આરોપપત્ર દાખલ કરીને કહ્યું હતું કે તમામ કેસ એક જ વ્યવહારનો ભાગ હતા. આરોપપત્રમાં ૪૦ વ્યક્તિઓનાં નામ હતાં, જેમાં મોટાભાગે વરિષ્ઠ રાજકારણીઓ હતા અને અને ૧૯૮/૧૯૯૨ની એફઆઈઆરમાં આઠ નામોનો સમાવેશ કરાયો હતો. અહીંથી જ અડવાણી અને મહાનુભાવ આરોપીઓ સામે કાવતરાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. (ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ રાયબરેલી ન્યાયાલયમાં આરોપપત્ર રજૂ કર્યો ન હતો જ્યાં ૧૯૮/૧૯૯૨ની સુનાવણી ચાલુ હતી.)
  • ઑક્ટોબર ૧૯૯૩-જુલાઈ ૨૦૦૫: રાષ્ટ્રપતિ શાસનકાળ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કેસની ફાળવણી માટેના જાહેરનામામાં 'તકનીકી' ખામીને લીધે કાનૂની દાવાઓ અને સામા કેસો ઊભા થઈ ગયા. આ સમયગાળા દરમિયાન, કેન્દ્રમાં એનડીએ, યુનાઇટેડ ફ્રન્ટ અને યુપીએ દ્વારા રચાયેલી સરકારો સાથે પાંચ વખત શાસનમાં ફેરફાર જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશમાં, સપ, બસપ અને ભાજપ વચ્ચે સત્તાની ફેરબદલ થઈ હતી અને બે વાર રાષ્ટ્રપતિ શાસન પણ લગાવાયું હતું. ૮ ઑક્ટોબર ૧૯૯૩ | ઉ.પ્ર. સરકારે આ કેસ ૧૯૮/૧૯૯૨ દાખલ કરીને ૯ સપ્ટેમ્બ, ૧૯૯૩નાં જાહેરનામામાં સુધારો કર્યો, જેથી લખનઉના વિશેષ ન્યાયાલય દ્વારા તમામ ૪૯ કેસોનો ખટલો એક સાથે ચલાવી શકાય. જોકે, તે ઉચ્ચ ન્યાયાલયની સલાહ લીધા વિના કરવામાં આવ્યું હતું.
  • ૧૧ ઑક્ટોબર ૧૯૯૩ | લખનઉના વિશેષ ન્યાયાલયે સીબીઆઈ દ્વારા દાખલ કરેલા સમ્મિલિત આરોપપત્રના આધારે ગુનાઓની નોંધ લીધી હતી.
  • ૧૮ ઑક્ટોબર ૧૯૯૩ | સીબીઆઈએ અગાઉ રાયબરેલી ન્યાયાલયમાંથી ૧૯૮/૧૯૯૨ કેસની પુન: તપાસની માંગણી કરી હતી, આથી ન્યાયાલયે તપાસની પ્રગતિ અંગે સંસ્થા પાસેથી રિપૉર્ટ માગ્યો હતો.
  • ૬ ડિસેમ્બર ૧૯૯૩ | સીબીઆઈએ રાયબરેલી ન્યાયાલયને જાણ કરી કે તેણે લખનઉ ન્યાયાલયમાં એક સમ્મિલિત આરોપપત્ર દાખલ કર્યો છે. ૨૪ જાન્યુઆરી ૧૯૯૪ | રાયબરેલીના મેજિસ્ટ્રેટે રેકોર્ડ લખનઉમાં સ્થાનાંતરિત કરવાની સૂચના આપી હતી. એક દિવસ પછી, રેકૉર્ડ લખનઉ લાવવામાં આવ્યા. આ પગલા સામેના કેટલાક આરોપીઓના વાંધાને ન્યાયાલયે ૨૩ માર્ચ ૧૯૯૪ના રોજ નકારી કાઢ્યા હતા.
  • ૨૭ ઑગસ્ટ ૧૯૯૪ | તમામ આરોપીઓ અને પક્ષકારોની સુનાવણી કર્યા પછી લખનઉના વિશેષ ન્યાયાલયે આ કેસના ખટલા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
  • ૧૧ નવેમ્બર ૧૯૯૪ | લખનઉના વિશેષ ન્યાયાલયે સીબીઆઈને તપાસ ચાલુ રાખવા માટે અનુમતિ આપી હતી.
  • ૧૧ જાન્યુઆરી ૧૯૯૬| સીબીઆઈએ લખનઉ સીબીઆઈ ન્યાયાલયમાં આરોપી તરીકે વધુ નવ નામો ઉમેરવાં પૂરક આરોપપત્ર દાખલ કર્યો હતો.
  • ૯ સપ્ટેમ્બર ૧૯૯૭ | લખનઉના વિશેષ ન્યાયાલયે આદેશ આપ્યો હતો કે ફોજદારી કાવતરાના આરોપો ઘડવા માટે તમામ ૪૯ આરોપીઓ સામે પ્રથમદર્શી કેસ છે. તેણે આરોપીઓ સામે આઈપીસીની કલમ ૧૪૭, ૧૫૩-એ, ૧૫૩-બી, ૨૯૫, ૨૯૫-એ અને ૫૦૫ હેઠળ આરોપ લગાવ્યો હતો. ન્યાયાલયે ઠરાવ્યું હતું કે તમામ ગુનાઓ એક સમાન વ્યવહારમાં જ થયા હતા જેના માટે સંયુક્ત ખટલાની જરૂર છે. આદેશને અડવાણી સહિત ૩૩ આરોપીઓએ તરત જ ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર્યો હતો.
  • ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૧ | ૩૩ આરોપીઓની અરજીની સુનાવણી કર્યા પછી, પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયની લખનઉ પીઠે ચુકાદો આપ્યો કે ઉત્તર પ્રદેશ સરકારે ૧૯૮/૧૯૯૨ કેસને રાયબરેલીથી લખનઉ સ્થાનાંતરિત કરવાના નિર્ણય અંગે ઉચ્ચ ન્યાયાલયની સલાહ લીધી નહોતી, તેથી ૧૯૭/૧૯૯૨ના ૧૯૮/૧૯૯૨ સાથે ૧૯૮/૧૯૯૨નું વિલીનીકરણ થવું અમાન્ય હતું અને લખનઉના વિશેષ ન્યાયાલય ૧૯૮/૧૯૯૨ના કેસમાં આરોપી સામે ખટલો ચલાવી શકે તેમ નહોતી. જોકે ન્યાયાલયે જણાવ્યું હતું કે તકનીકી દોષ સાધ્ય છે અને રાજ્ય સરકારની ઈચ્છા હોય તો, ઉચ્ચ ન્યાયાલય સાથે પરામર્શ કર્યા પછી નવું જાહેરનામું જાહેર કરીને આ બાબતને સુધારવાનું તેના માટે ખુલ્લું છે. ન્યાયાલયે ટોચના નેતાઓ સામે કાવતરા અને સંયુક્ત આરોપપત્રને માન્ય રાખ્યાં હતાંઅને ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ ગુનાઓ આ જ વ્યવહાર દરમિયાન અને ગુનાઈત કાવતરું પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યા હતા.
  • ૪ મે ૨૦૦૧ | ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ ઉચ્ચ ન્યાયાલયના આદેશનું અર્થઘટન કરતી વખતે લખનઉના વિશેષ ન્યાયાલયે લાલકૃષ્ણ અડવાણી, બાલ ઠાકરે, એમ.એમ. જોશી, વિનય કટિયાર, ઉમા ભારતી, અશોક સિંહલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરિ દાલમિયા, સાધ્વી ઋતંભરા, મહંત અવૈદ્યનાથ અને કલ્યાણસિંહ સહિત ૨૧ આરોપીઓ સામે ગુના નંબર ૧૯૮/૧૯૯૨માં કાર્યવાહી એવા આધાર પર રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો કે તે કોઈ પણ કાવતરું રચવાના નહીં, પણ વાસ્તવિક વિધ્વંસના મામલે તપાસ કરી રહ્યું છે. તેનો એવો દૃષ્ટિકોણ હતો કે આરોપીઓના બે સમૂહ છે - એક, મસ્જિદને તોડી પાડનાર કારસેવકો, અને અન્ય જે ઉશ્કેરણી કરનાર હતા. જોકે, ન્યાયાલયે ૧૯૭/૧૯૯૨ અને અન્ય ૪૭ કેસોમાં નામ નોંધાયેલા ૨૭ અન્ય આરોપીઓ સામે ખટલો હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ, સીબીઆઈએ આ આદેશ વિરુદ્ધ પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયમાં સુધારા અરજી દાખલ કરી.
  • ૨૫ મે ૨૦૦૧ | રાજ્ય સરકારે સીબીઆઈએ હાથ ધરેલી તપાસ પર પ્રગતિ અહેવાલ રજૂ કરવા સીબીઆઈને નિર્દેશ આપવા પગલાં નથી લીધાં.
  • ૩૦ માર્ચ ૨૦૦૩ | સીબીઆઈએ અડવાણી સહિત આઠ આરોપીઓ સામે રાયબરેલી ન્યાયાલયમાં અન્ય પૂરક અહેવાલ દાખલ કર્યો જેમાં ષડયંત્રના આરોપ નહોતા. સંસ્થાએ આ અહેવાલમાં ૧૩ અન્ય આરોપીઓનાં નામોનો સમાવેશ નહોતો કર્યો.
  • ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૩ | રાયબરેલી ન્યાયાલયે વિધ્વંસ કેસમાં અડવાણીને આરોપમુક્ત કરતાં કહ્યું કે સીબીઆઈએ પુરતા પુરાવા ન આપ્યા. પરંતુ તેણે અન્ય સાત આરોપીઓ સામે ખટલો ચાલુ રાખવા નિર્દેશ આપ્યો.
  • ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૩ | રાયબરેલી ન્યાયાલય દ્વારા અડવાણીને નિર્દોષ છોડવાને ટાંકીને અન્ય સાત નેતાઓ, જેઓ સહ આરોપીઓ હતા તેમને પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયની લખનઉ બૅન્ચમાંથી ફોજદારી કાર્યવાહી પર રોક મળી ગઈ. કેટલાક ખાનગી પક્ષકારોએ પણ ઉચ્ચ ન્યાયાલયમાં નિર્દોષ જાહેર કરવાના આદેશ સામે પુનર્વિચારણા અરજીઓ દાખલ કરી.
  • ૫ જુલાઈ ૨૦૦૫ | પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયની લખનઉ બૅન્ચે રાયબરેલી ન્યાયાલયના અડવાણીને તમામ આરોપોમાંથી મુક્ત કરવાના આદેશને બાજુએ મૂકી દીધો અને અડવાણી સહિત તમામ આઠ આરોપીઓ સામે ઉશ્કેરણીજનક પ્રવચનોના આરોપો પ્રથમ દર્શી રીતે જાળવી શકાય તેવા છે તેમ ઠરાવ્યું. આ કેસ જીવંત થયો પરંતુ તેમાં ષડયંત્રનો આરોપ નહોતો.
  • જુલાઈ ૨૦૦૫-ફેબ્રુઆરી ૨૦૧૧: ખટલો જટિલતાઓ વચ્ચે શરૂ થયો હતો અને ગોકળગાયની ગતિએ આગળ વધ્યો. કેન્દ્રમાં કૉંગ્રેસની યુપીએ સરકારનું શાસન હતું જ્યારે રાજ્યમાં સપ અને બસપનું શાસન હતું.
  • ૨૮ જુલાઈ ૨૦૦૫ | આઠ આરોપીઓ રાયબરેલી ન્યાયાલયમાં હાજર થયા હતા અને તેમને જામીન આપવામાં આવ્યા હતા. આરોપીઓને આરોપો સંભળાવવામાં આવ્યા હતા અને બધાએ પોતે નિર્દોષ હોવાની વિનંતી કરી હતી. ત્યારબાદ સુનાવણી શરૂ થઈ.
  • ૨૬ માર્ચ ૨૦૧૦ | વિધ્વંસ સમયે અડવાણીના અંગત સુરક્ષા અધિકારી એવા આઈપીએસ અધિકારી અંજુ ગુપ્તાએ રાયબરેલી ન્યાયાલય સમક્ષ જુબાની આપી હતી કે અડવાણીએ કારસેવકો જુસ્સામાં આવી જાય તેવું આગ ઝરતું ભાષણ કર્યું હતું. તેણી એકમાત્ર સેવા આપતા આઈપીએસ અધિકારી છે કે જેણે ન્યાયાલય સમક્ષ જુબાની આપી હતી અને ૧૯૯૩માં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપપપત્રમાં સાક્ષી તરીકે તેમનું નામ હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ૫ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ ફૈઝાબાદ ઝોનના આઈ.જી. એ.કે. શર્માએ સુરક્ષા સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં તેમણે ગુપ્તચર માહિતીના આધારે ચેતવણી આપી હતી કે બીજા દિવસે બાબરી મસ્જિદ ઉપર હુમલો થશે.
  • ૨૦ મે ૨૦૧૦ | દસ વર્ષની સુનાવણી પછી, પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયની લખનઉ બેંચે ૪ મે ૨૦૦૧ના રોજ લાલકૃષ્ણ અડવાણી અને અન્ય મોટા નેતાઓ વિરુદ્ધ "કાવતરાના આરોપોને" હટાવવા સામે સીબીઆઈની સુધારા અરજીને ફગાવી દીધી હતી. ઉચ્ચ ન્યાયાલયે લખનઉ ન્યાયાલયના આદેશને સમર્થન આપતાં કહ્યું હતું કે આરોપીઓના બે વર્ગો છે, એટલે કે, નેતાઓ જે નજીકના મંચ પર હતા, તેઓ કાર સેવકોને અને કાર સેવકો પોતાને પ્રોત્સાહિત કરતા હતા. બંને સામેના આરોપોનું સ્વરૂપ અલગ હતું અને તેમની સંડોવણી જુદાજુદા ગુનાઇત ગુનાઓ માટે હતી. ૧૯૮ના મામલામાં કોઈ કાવતરાનો આરોપ લાગ્યો ન હતો, જે ભાષણો દ્વારા વિધ્વંસ કરવા માટે ઉશ્કેરવાને લગતો હતો અને ફેબ્રુઆરી ૨૦૦૧ના ઉચ્ચ ન્યાયાલયના આદેશને પગલે રાયબરેલી ખાતે કેસ ચાલી જ રહ્યો હતો.
  • ૧૭ ઑગસ્ટ ૨૦૧૦ | લખનઉ વિશેષ ન્યાયાલયે ૧૯૭/૧૯૯૨ કેસમાં ૨૭ આરોપીઓને સમન્સ પાઠવ્યા. ત્રણ કે જેઓ આ દરમિયાન મૃત્યુ પામ્યા તેમના સામેની કાર્યવાહી પડતી મૂકાઈ જ્યારે બાકીના ૨૪ સામે આરોપો પડતા મૂકાયા હતા. તેમણે પોતે નિર્દોષ ન હોવાની વિનંતી કરી હતી અને ખટલો શરૂ થયો હતો.
  • ફેબ્રુઆરી ૨૦૧૧- ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦: જટિલતા ઉકેલાતાં ઝડપી ખટલા માટે માર્ગ મોકળો થયો. કૉંગ્રેસ કેન્દ્રમાં શાસિત યુપીએ અને ભાજપ શાસિત એનડીએ સરકારો હતી જ્યારે રાજ્યમાં બસપ અને સપ સરકાર હતી.
  • ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૧ | સીબીઆઈએ પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલય અને લખનઉના વિશેષ સીબીઆઈ ન્યાયાલય (૪ મે ૨૦૦૧)ના આદેશો સામે સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી કરી (૨૦ મે ૨૦૧૦). સર્વોચ્ચ ન્યાયાલયે ઉચ્ચ ન્યાયાલયના આદેશના નેવું દિવસ (નિયમો મુજબ)માં અપીલ દાખલ કરવાના બદલે લગભગ નવ મહિનામાં અપીલ દાખલ કરી તે માટે સીબીઆઈને ઠપકો આપ્યો, પરંતુ ૧૯૭/૧૯૯૨ અને ૧૯૮/૧૯૯૨ બંને કેસોના સંયુક્ત ખટલાની માગણી કરતી અપીલ સ્વીકારી.
  • ૧૯ એપ્રિલ ૨૦૧૭ | છ વર્ષ માટે સીબીઆઈની અપીલ સાંભળ્યા પછી સર્વોચ્ચ ન્યાયાલયે એલ. કે. અડવાણી અને અન્ય ટોચના નેતાઓ સામે ષડયંત્રના આરોપો પુનર્જીવિત કરવા નિર્દેશ આપ્યો. ૮ ઑક્ટોબર ૧૯૯૩ના જાહેરનામામાં રહેલી ‘તકનીકી ઉણપો’માંથી બહાર આવવા બંધારણની કલમ ૧૪૨ હેઠળ રહેલી તેની સત્તાનો ઉપયોગ કરતાં તેણે બાબરી વિધ્વંસ કેસમાં ભાજપના નેતાઓ અને કારસેવકો સામે સંયુક્ત ખટલાનો આદેશ આપ્યો. રાયબરેલીમાં ખટલો ચલાવી રહેલા ન્યાયાધીશનું સ્થાનાંતરણ અનેક વાર કરાયું, તેનાથી વિલંબ થયો છે તેમ નોંધ લેતાં, સર્વોચ્ચ ન્યાયાલયે કેસ ૧૯૮/૧૯૯૨ની કાર્યવાહી રાયબરેલીથી લખનઉ વિશેષ ન્યાયાલયમાં સ્થાનાંતરિત કરી. તેણે ૧૯૭/૧૯૯૨ અને ૧૯૮/૧૯૯૨ના કેસોને એક કરવા લખનઉ ન્યાયાલયને નિર્દેશ આપ્યો અને દિન-પ્રતિદિન સુનાવણી કરવા સાથે સંયુક્ત ખટલો ચલાવવા નિર્દેશ આપ્યો. તેણે આ સુનાવણી બે વર્ષમાં પૂર્ણ કરવા પણ નિર્દેશ આપ્યો. સુનાવણી દરમિયાન, સીબીઆઈએ લખનઉ વિશેષ ન્યાયાલયમાં સ્પષ્ટતા કરી કે ૧૯૭/૧૯૯૨માં આપેલા આરોપોમાં ષડયંત્રના ગુના છે જ અને આ જ કારણ છે કે રાયબરેલી ખાતે આઠ આરોપીઓ સામે જે પૂરક આરોપપત્ર દાખલ કરાયા છે તેમાં કલમ ૧૨૦બી હેઠળ આરોપ ઉમેરવામાં આવ્યો નથી.
  • ૧૮ મે ૨૦૧૭ | લખનઉના વિશેષ સીબીઆઈ ન્યાયાલયે દિન-પ્રતિદિન સુનાવણી શરૂ કરી
  • ૩૦ મે ૨૦૧૭ | લખનઉ ન્યાયાલયે ભાજપના નેતાઓ એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને વિનનય કટિયાર તેમજ વિહિપ નેતાઓ સાધ્વી ઋતંભરા અને વિષ્ણુહરિ ડાલમિયા સામે આરોપો ઘડ્યા. તમામ છને સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એસ.કે. યાદવે ૫૦,૦૦૦-૫૦,૦૦૦ રૂપિયાના વ્યક્તિગત બૉન્ડ પર જામીન આપ્યા હતા. રામવિલાસ વેદાંતી, બૈકુંઠ લાલ શર્મા, ચંપક રાય બંસલ, રામ જન્મભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલદાસ, ધરમદાસ અને સતીશ પ્રધાન સામે પણ આરોપ ઘડવામાં આવ્યા હતા. આ બધા પર બાબરી મસ્જિદને તોડવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.
  • ૨૫ મે ૨૦૧૯ | લખનઉમાં દૈનિક સુનાવણી હાથ ધરી રહેલા વિશેષ ન્યાયાધીશ એસ.કે. યાદવે તેમણે સર્વોચ્ચ અદાલતને પત્ર લખી જણાવ્યું હતું કે આ કેસ સમાપ્ત કરવા વધુ છ મહિના આપવામાં આવે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે તેઓ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ સેવા નિવૃત્ત થવાના છે.
  • ૧૯ જુલાઈ ૨૦૧૯ | સર્વોચ્ચ ન્યાયાલયે એપ્રિલ ૨૦૨૦ સુધીમાં ચુકાદો આપવા માટે વિશેષ ન્યાયાધીશને વધુ નવ મહિનાનો સમય આપ્યો હતો.
  • ૨૩ ઑગસ્ટ ૨૦૧૯ | યાદવના પત્રની સમીક્ષા કર્યા પછી, સર્વોચ્ચ ન્યાયલયે ઉત્તર પ્રદેશ સરકારને તેમના દ્વારા કરવામાં આવેલા કામની તીવ્રતાને ધ્યાનમાં લઈને સર્વોચ્ચ ન્યાયાલયને લખેલા પત્રમાં વિશેષ ન્યાયાધીશ દ્વારા કરવામાં આવેલી વિનંતીઓ તપાસવા જણાવ્યું હતું. ન્યાયાલયે સરકારને સુનાવણી પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવવા માટે વિશેષ ન્યાયાધીશની મુદત વધારવા માટે એક વ્યવસ્થા તૈયાર કરવા જણાવ્યું હતું.
  • ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ | કલ્યાણસિંહે રાજસ્થાનના રાજ્યપાલ પદેથી હટ્યાના એક દિવસ બાદ, સીબીઆઈએ બાબરી મસ્જિદને તોડવાના કાવતરાના આરોપસર અન્ય લોકો સાથે સુનાવણીનો સામનો કરવા આરોપી તરીકે સમન્સ મોકલવાની માગ સાથે લખનઉ ન્યાયાલય સમક્ષ અરજી કરી હતી.
  • ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ | સર્વોચ્ચ ન્યાયાલના નિર્દેશો પર ઉત્તર પ્રદેશ સરકારે વિશેષ ન્યાયાધીશની મુદત તેઓ આ કેસનો ચુકાદો આપી રહે ત્યાં સુધી લંબાવી હતી.
  • ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯ | લખનઉ ન્યાયાલયે કલ્યાણ સિંહ સામે આરોપો ઘડ્યા; ૨ લાખના અંગત બૉન્ડ પર જામીન પણ આપ્યા.
  • ૮ મે ૨૦૨૦ | સર્વોચ્ચ ન્યાયાલયે વિશેષ ન્યાયાધીશની વિનંતી પર ઘર-વાસને ધ્યાનમાં રાખીને સુનાવણી પૂર્ણ કરવા છ મહિનાનો સમય વધારી ૩૧ ઑગસ્ટ ૨૦૨૦ સુધીની અવધિ આપી હતી. અંતિમ મુદત પછીથી 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી હતી.
  • ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ | કેસમાં અંતિમ દલીલો સમાપ્ત થઈ.
  • ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ | વિશેષ ન્યાયાધીશ એસ.કે. યાદવે કહ્યું કે 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો સંભળાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details