ગુજરાત

gujarat

ETV Bharat / bharat

15 ઑગસ્ટની પૂર્વ સંધ્યા : રાષ્ટ્રપતિ કોવિંદના સંદેશમાં 370નો ઉલ્લેખ - રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હીઃ 15 ઑગસ્ટની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતની પ્રજાનું સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે આઝાદીના 73 વર્ષ બાદ ભારત આજે ગંભીર પરિસ્થિતિમાં છે.

ramnath

By

Published : Aug 14, 2019, 11:39 PM IST

રાષ્ટ્રપતિના ભાષણના મુખ્ય અંશ

  • મારી ઈચ્છા છે કે આપણી સંસ્કૃતિ, આદર્શ, કરૂણા, જિજ્ઞાસા અને ભાઈચારો હરહંમેશ જળવાઈ રહે, જીવનના આ મૂલ્યોમાં આગળ વધતા રહીએ. હું આપ સહુને સ્વંતત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું.
  • આપણા સ્વતંત્ર આંદોલનને અવાજ આપનાર મહાન કવિ સુબ્રહ્મણ્ય ભારતીએ સો વર્ષ પહેલા ભાવિ ભારતની જે કલ્પના હતી તે આપણા પ્રયત્નોમાં ઉજાગર થઈ રહી છે.
  • આપણી સંસ્કૃતિની એ વિશેષતા છે કે આપણે સહુ પ્રકૃતિ માટે અને તમામ જીવ માટે પ્રેમ અને કરૂણાનો ભાવ રાખીએ છે.
  • મને વિશ્વાસ છે કે સમાજના અંતિમ વ્યક્તિ માટે ભારત પોતાની સંવેદનશીલતા જાળવી રાખશે. ભારત પોતાના આદર્શો પર અડગ રહશે.
  • ભારત યુવાનોનો દેશ છે. આપણા યુવાનોની ઉર્જા રમતથી લઈ વિજ્ઞાન સુધી અનેક ક્ષેત્રોમાં વહેંચાયેલી છે.
  • અન્ય દેશો સાથે આપણાં સંબંધોમાં પણ આફણે સહયોગની ભાવના રાખીએ છે. આપણી પાસે જે પણ વિશેષ અનુભવ છે અને યોગ્યતાઓ છે તેને અન્ય દેશો સાથે વહેંચવાથી ખુશી અનુભવીએ છે.
  • ભારતનો સમાજ હંમેશા સહજ અને સરળ રહ્યો છે. તેમજ જીવો અને જીવવા દોના સિંદ્ધાત પર ચાલે છે. અમે ભાષા અને ક્ષેત્રીય સિમાઓથી ઉપર ઉછી એક-બીજાનું સન્માન કરીએ છે.
  • સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે બનાવાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સદઉપયોગ કરવો અને તેની સુરક્ષા કરવી તે આપણાં સૌની જવાબદારી છે.
  • દરેક ઘરમાં શૌચાલય અને પાણી ઉપલ્બ્ધ કરાવવાનો પૂરતો લાભ ત્યારે જ મળશે જ્યારે આ સુવિધાઓથી આપણી બહેન-દિકરીઓનું સશક્તીકરણ અને તેમના ગરિમા વધશે.
  • મને એ વાતની ખુશી છે કે હાલમાં જ પૂર્ણ થયેલા લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની બેઠકો સફળ રહી.
  • મને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે હાલમાં કરાયેલા બદલાવોથી ત્યાંના સ્થાનિકોને ખૂબ જ ફાયદો થશે.
  • આ વર્ષે ગાંધીજીના જન્મને 150 વર્ષ પૂર્ણ થયા છે, આઝાદીમાં તેમનું યોગદાન પ્રેરણાદાયક હતું.

ABOUT THE AUTHOR

...view details