ગુજરાત

gujarat

By

Published : Sep 12, 2020, 7:14 AM IST

ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

Zodic
Zodic

મેષઃઆપના વિચારો સતત બદલાતા રહેતા આપ મુંઝવણમાં રહો તેવી શક્યતા છે. વ્યવસાય કે નોકરીમાં સ્પર્ધાત્મક વાતાવરણ જણાશે. પણ આપ સફળતાપૂર્વક તેમાંથી બહાર આવી શકશો. નવું કાર્ય શરૂ કરવાની આપને પ્રેરણા મળશે. આપને નોકરી-ધંધા અર્થે ટૂંકો પ્રવાસ થાય તેવી પણ શક્યતા છે. કોઇ બૌદ્ધિક કે સાહિત્ય લેખનને લગતી પ્રવૃત્તિ માટે દિવસ સારો છે. આજે કોઇ મહત્વના નિર્ણયો લેશો નહીં.

વૃષભઃ આજે આપે તમામ પ્રકારની દ્વિધાઓ બાજુ પર મૂકીને મનને એકાગ્ર અને સ્‍વસ્‍થ રાખવાની જરૂર છે, કારણ કે મનની અસ્થિરતાના કારણે આપ હાથમાં આવેલી સુવર્ણ તક ગુમાવી દો તેવી શક્યતા છે. આજે આપે જિદ અને મમત છોડીને સમાધાનકારી વલણ અપનાવવું પડશે. ભાઇભાંડુઓ વચ્‍ચેના સંબંધો વધુ ઉષ્મા અને સહકારભર્યા બનશે. કલાકારો, લેખકો અને કારીગરો જેવા મૌલિક સર્જકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. આરોગ્‍ય સારું રહે.

મિથુનઃ તન- મનથી તાજગી અને પ્રફુલ્લિતતા અનુભવશો. ઘરમાં મિત્રો- સગાં સ્‍નેહીઓના આગમનથી ખુશાલીભર્યું વાતાવરણ રહે. ભાવતાં ભોજન મળવાના અને સુંદર વસ્‍ત્ર પરિધાનના યોગ છે. આર્થિક લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. મિત્રો- સગાં સંબંધીઓ તરફથી ભેટ- ઉપહાર મળે. દાંપત્‍યજીવનમાં સુખશાંતિ અને નિકટતા અનુભવાય. આપને નકારાત્‍મક વિચારો મન પર હાવિ ન થવા દેવાની સલાહ છે.

કર્કઃ આજે આપનું મન અગાઉની તુલનાએ થોડુ અસ્‍વસ્‍થ અને બેચેન રહે. તેના માટે સૌથી વધુ વૈચારિક ગડમથલ જવાબદાર રહેશે માટે શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અને તટસ્થ વલણ રાખવું. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવાની સલાહ છે. આપની નિર્ણયશક્તિ પ્રમાણમાં ઓછી રહેશે. બોલવામાં બહુ ધ્યાન રાખવું પડશે નહીં તો કોઈ સાથે ઝઘડો થવાની શક્યતા છે.તબિયત સાચવવાની સલાહ છે. ધનખર્ચની શક્યતા છે તથા સ્વમાનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. ગેરસમજ અંગે ખુલાસો કરવાથી મન હળવું બનશે.

સિંહઃ આપના વેપાર ધંધામાં આજે લાભ થશે અને આવક વધશે. સારું ભોજન ગ્રહણ કરશો અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય. સ્ત્રી મિત્રો આપને મદદરૂપ થઇ શકશે. પુત્રને મળવાનું થાય. વડીલો આપને સાથ આપશે. સારા પ્રસંગો યોજાય. સ્ત્રીઓ તરફથી સુખ અનુભવાશે. નવી વસ્તુ ખરીદવા માંગતા હોવ તો સમય યોગ્ય છે.

કન્યાઃઆજે આપ નવા કાર્યોની યોજનાને અમલમાં મુકી શકશો. વેપાર અને નોકરી કરતા લોકો આજના દિવસે લાભ મેળવી શકશે. ઉચ્ચ અધિકારીઓ આપના પર કૃપા વરસાવે અને ઉચ્ચ પદ મળવાની શક્યતા છે. પિતા તરફથી કોઇ લાભ મળી શકે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં માહોલ આનંદમય રહેશે. બિઝનેસના કામથી પ્રવાસ થઇ શકે. દાંપત્યજીવનમાં મનમેળ રહેશે.

તુલાઃ આજે આપ કામકાજના સંદર્ભમાં મુસાફરી ખેડો કે કોઇ દેવસ્થાનમાં જાવ તેવી શક્યતા છે. જે લોકો વિદેશ જવા માંગતા હશે તેમને આ દિશામાં કરેલી કાર્યવાહીમાં કોઇપણ કારણથી વિલંબની શક્યતા પ્રબળ જણાઇ રહી છે. આપને બાળકોની તેમજ તબિયતની ચિંતા સતાવે. નોકરીમાં આપ સાથે કામ કરતા લોકો અને ઉચ્ચ અધિકારીઓનો સહકાર નહી મેળવી શકો. આપે કોઇની સાથે દલીલ ન કરવી. ખર્ચ થવાની પણ શક્યતા છે.

વૃશ્ચિકઃ આપને પેટના દર્દો, દમ, ખાંસી કે શરદી જેવી તકલીફો થઇ શકે તેથી સ્વાસ્થ્ય સાચવવાની સલાહ છે. શરીર અને મનની બેચેની ટાળવા માટે આપ્તજનો અથવા મિત્રો સાથે વધુ સમય વિતાવવો અને પોતાને આનંદ આવે તેવા કાર્યોમાં ભાગ લેવો. ખોટા અને નકારાત્મક વિચારોને મનમાંથી દૂર રહવા તેમજ ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે માટે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ખર્ચની તૈયારી રાખવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું હિતાવહ છે.

ધનઃ આપ આજે ખુશી, આનંદ અને શાંતિ મેળવી શકશો. સારા વસ્ત્રોની ખરીદીમાં, મિત્રો સાથે સમય વિતાવવામાં અને સ્વાદિષ્ટ ભોજન માણવામાં આપનો દિવસ આનંદમય પસાર થશે. વિજાતીય લોકોથી આપ આકર્ષાશો અને તેમને મળીને રોમાંચ અનુભવશો. જાહેર જીવનમાં આપ પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકશો. આપને સારું દાંપત્યસુખ પણ મળશે.

મકરઃ આપની તંદુરસ્તી આજે સારી રહેશે. આપ માન-સન્માન તેમજ આનંદ મેળવી શકશો. કુટુંબીજનો સાથે મોજમજામાં સમય ગાળશો. આજે વેપાર ધંધામાં સારી બરકત જોઇ શકશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. સાથે કામ કરનારા લોકો આપને ટેકો આપશે. પ્રતિસ્પર્ધીઓને મ્હાત કરી શકશો. આપે કાયદાકીય બાબતોથી દૂર રહેવું જોઇએ.

કુંભઃ આપનો દિવસ મિશ્ર ફળદાયી નિવડશે. વિચારોની ઉથલ-પાથલને કારણે કોઇ મહત્વનો નિર્ણય ન લો તે વધુ યોગ્ય છે. પ્રવાસ કે યાત્રામાં વિઘ્ન આવી શકે. ઇચ્છિત કાર્યો પૂરા ન થતા આપ હતાશા અને બેચેની અનુભવશો. પેટની પીડા પરેશાન કરી શકે. સંતાનોના સ્વાસ્થ્ય કે અભ્યાસની બાબતોમાં તમારે વધુ સમય આપવો પડશે.

મીનઃ આપના શરીર અને મનમાં બેચેની અનુભવાય.પરિવારજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી અને તેમની શક્ય હોય એટલી વધુ સેવા કરવી. કેટલીક એવી ઘટનાઓ બને જેના કારણે આપનો ઉત્સાહ ઓછો થઈ શકે છે માટે અગાઉ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ છે. આપને ઊંઘનું પ્રમાણ ઓછુ રહે. પાણી અને સ્ત્રીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.મકાન-મિલકત કે વાહનોને લગતી બાબતોની ચિંતા રહ્યા કરે.

ABOUT THE AUTHOR

...view details