ગુવાહાટી : આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરની સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નથી. પૂરના કારણે ગોલાપારામાં બે વ્યકિતના મોત થયાં છે. આ સાથે મોતની સંખ્યા 3 થઇ ગઇ છે.
આસામ રાજ્ય પૂર પ્રબંધન પ્રધિકરણના અધિકારીઓએ જણાવ્યું છે કે, આસામમાં પૂરની પહેલી લહેરે પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 2,94,170 લોકોને અસર કરી છે. આ પૂરને કારણે અત્યારસુધીમાં 21,572 હેક્ટર ખેતીની જમીનને અસર થઈ છે. જેના કારણે પાકને પણ અસર પહોંચી છે.