ગુજરાત

gujarat

By

Published : Dec 20, 2019, 6:32 PM IST

ETV Bharat / bharat

હિંસા થશે તો અમે પ્રદર્શનમાંથી અલગ થઈ જઈશું: ઓવૈસી

હૈદરાબાદ: નાગરિકતા કાયદાને લઈ થઈ રહેલા હિંસાત્મક આંદોલન પર ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, અમારી પાસે વિરોધ કરવાનો અધિકાર છે, પણ અમે હિંસાની નિંદા કરીએ છીએ. જે પણ હિંસામાં સામેલ છે તો સમગ્ર વિરોધ પ્રદર્શનના દુશ્મન છે. વિરોધ પ્રદર્શન થવું જોઈએ, પણ એ ત્યારે સફળ થશે જ્યારે તે શાંતિ સાથે થશે.

caa protest
caa protest

હૈદરાબાદમાં ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની અધ્યક્ષતામાં યુનાઈટેડ મુસ્લિમ કમિટીની એક બેઠક યોજાઈ હતી.

અસદુદ્દીન ઓવૈસી

બેઠક બાદ ઓવૈસીએ જણાવ્યું હતું કે, આ કાયદોનો ભરપૂર વિરોધ કરવાનો છે પણ પોલીસને મંજૂરી સાથે અને શાંતિપૂર્ણ રીતે થશે. લખનઉ અને દિલ્હીમાં પોલીસે અયોગ્યવર્તન કર્યુ. બાદમાં મંગળવારના રોજ બે મુસ્લિમોના મોત થયા. જો હિંસા થાય છે, તો અમે તેની નિંદા કરી છીએ અને તેનાથી અમે અલગ રહીશું.

ABOUT THE AUTHOR

...view details