હૈદરાબાદમાં ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની અધ્યક્ષતામાં યુનાઈટેડ મુસ્લિમ કમિટીની એક બેઠક યોજાઈ હતી.
હિંસા થશે તો અમે પ્રદર્શનમાંથી અલગ થઈ જઈશું: ઓવૈસી - હિંસાત્મક આંદોલન
હૈદરાબાદ: નાગરિકતા કાયદાને લઈ થઈ રહેલા હિંસાત્મક આંદોલન પર ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, અમારી પાસે વિરોધ કરવાનો અધિકાર છે, પણ અમે હિંસાની નિંદા કરીએ છીએ. જે પણ હિંસામાં સામેલ છે તો સમગ્ર વિરોધ પ્રદર્શનના દુશ્મન છે. વિરોધ પ્રદર્શન થવું જોઈએ, પણ એ ત્યારે સફળ થશે જ્યારે તે શાંતિ સાથે થશે.
![હિંસા થશે તો અમે પ્રદર્શનમાંથી અલગ થઈ જઈશું: ઓવૈસી caa protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5439470-thumbnail-3x2-l.jpg)
caa protest
અસદુદ્દીન ઓવૈસી
બેઠક બાદ ઓવૈસીએ જણાવ્યું હતું કે, આ કાયદોનો ભરપૂર વિરોધ કરવાનો છે પણ પોલીસને મંજૂરી સાથે અને શાંતિપૂર્ણ રીતે થશે. લખનઉ અને દિલ્હીમાં પોલીસે અયોગ્યવર્તન કર્યુ. બાદમાં મંગળવારના રોજ બે મુસ્લિમોના મોત થયા. જો હિંસા થાય છે, તો અમે તેની નિંદા કરી છીએ અને તેનાથી અમે અલગ રહીશું.