ગુજરાત

gujarat

By

Published : May 29, 2020, 4:55 PM IST

ETV Bharat / bharat

ભારત સાથે વધી રહેલો તણાવ, જીંગપીંગે PLAને યુધ્ધ માટે સજ્જ રહેવા કહ્યુ

ભારતની સરહદમાં વધી રહેલી દુશ્મનાવટ વચ્ચે વિશ્વની બે સૌથી મોટી સૈન્યના સૈનિકો તણાવનો સામનો કરી રહ્યા છે .ત્યારે આ અંગે ઠરાવ પસાર થવાના સંકેતો જોવા મળતા નથી તેવામાં ચીનના રાષ્ટ્રપતિ જીંગપીંગે બેઇજીંગમાં આક્રમક શૈલીમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) અને સશસ્ત્ર પોલીસ દળને સંબોધન કર્યુ હતુ.

ો
ભારત સાથે વધી રહેલો તણાવ, જીંગપીંગે PLAને યુધ્ધ માટે સજ્જ રહેવા કહ્યુ

હૈદરાબાદઃ ભારતની સરહદમાં વધી રહેલી દુશ્મનાવટ વચ્ચે વિશ્વની બે સૌથી મોટી સૈન્યના સૈનિકો તણાવનો સામનો કરી રહ્યા છે .ત્યારે આ અંગે ઠરાવ પસાર થવાના સંકેતો જોવા મળતા નથી તેવામાં ચીનના રાષ્ટ્રપતિ જીંગપીંગે બેઇજીંગમાં આક્રમક શૈલીમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) અને સશસ્ત્ર પોલીસ દળને સંબોધન કર્યુ હતુ.

એ સમજાવતા કહ્યું: “આપણે પરિસ્થિતિને નિયંત્રિત કરવી જોઈએ અને પગલું ભરવું જોઈએ, પગલું લશ્કરી સંઘર્ષ માટેની તૈયારીઓ, ફ્લેક્સિએબલ રીતે વાસ્તવિક લશ્કરી તાલીમ લેવી અને લશ્કરી મિશન ચલાવવાની અમારી સૈન્યની ક્ષમતામાં વિસ્તૃત સુધારો. ”

હાલ કોવિડ-19 મહામારીનો પ્રશ્ન ચાલી રહ્યો છે ત્યારે જીંગપીંગ ચીનની સુરક્ષા યઅને વિકાસને લઇને થનારી ઉંડાણપૂર્વકની થનારી અસર અંગે વાત કરી રહ્યા છે. ચીનના રાષ્ટ્પતિ જીંગપીંગને સેન્ટ્રલ મિલેટરી કમિશનના વડા તરીકેની પણ સતા છે. તેમણે કહ્યુ કે “ આપણે વૈજ્ઞાનિક પધ્ધતિથી સ્થિતિને નિમયિત અને કાબુમાં રાખી શકીશુ. માટે સેના માટે લશ્કરી સેનાએ સઘર્ષ માટેની તૈયારીઓ વધારવી, વાસ્તવિક લશ્કરી તાલીમ અને આર્મીને મિશન સુધી પહોંચવા આપણી આર્મીને સજ્જ બનાવીએ.”

ચાઇનીઝ રાષ્ટ્રપતિ એ આ ચોંકાવનારુ નિવેદન એવા સમયે જાહેર કર્યુ છે કે જ્યારે પૂર્વ લદાખનૈ વિવિધ ત્રણ સ્થળો પર બંને દેશની મિલેટરી સંભવિત સઘર્ષ માટે બોર્ડર પર છે.

મંગળવારે નવી દિલ્હીના સાઉથ બ્લોક કે જ્યાં સરક્ષણ મંત્રાલય આવેલી છે ત્યારે હાલ સેનાના વડાઓ અને સરક્ષણ પ્રધાન સાથે સતત મીટીંગનો દોર ચાલુ છે.

ત્યારે બુધવારે આર્મી કમાન્ડોની બેઠકમાં પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામા આવશે .

વર્ષ 2020 ની સાથે પીપલ્સ લિબરેશન આર્મીની 13મી પંચ વર્ષીય યોજના પુરી થઇ રહી છે ત્યારે ચીનના પ્રેસિડેન્ટે કહયુ કે આ તબક્કના હવે કોરોના મહામારી સામે લડવા માટે ખુબ અસરકાર નિર્ણય લેવા જરુરી છે. યુધ્ધના મેદાનની માફક ધ્યાન રાખીને આયોજન કરવાની જરુરિયાત છે. તો એ પણ ખાતરી આપવી પડશે કે મહત્વના કામોને પૂર્ણ કરશે. આ તમામ બાબતો 14મી પંચ વર્ષીય યોજનાના આયોજન માટે જરુરી છે.

આ ઇવેન્ટ દરમિયાન આઠ ઉચ્ચ અધિકારીઓએ સંબોધન કરતા પીએલએમાં રોગચાળાને નિયંત્રણ , રોગચાળાની પરિસ્થિતિમાં લડવાની તાલીમ અને કોરોના સામેની લડતને મજબુત કરવાની જરુરિયાત અને જૈવિક સરંક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું જણાવ્યુ હતુ.

ચીન એક એવો દેશ છે કે જ્યાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ને નિયત્રણાં લેવા માટે ભુતકાળમાં રાજકીય સઘર્ષ થઇ ચુક્યા છે. રાષ્ટ્રપતિ જીનસીંગે કહ્યુ હતુ કે કોરોના વાયરસ રોગચાળાની સ્થિતિમાં લશ્કર, સરકાર અને નાગરિકોની એકતા બની છે. ત્યારે રોગચાળાને કાબુમાં લેવા માટે તાલીમ આપવા માટેની તાતી જરુરિયાત છે.

આ કાર્યક્રમમમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં મી.ક્યુઆલીંગ , બેઠકના અધ્યક્ષ સ્થાને સીએમસીના વાઇસ ચેરમેન ઝાંગ યોકિસયા, વેઇ ફેંગે, લી ઝુઓચેંગ, મિયાઓ હુઆ અને ઝાંગ શેંગમિન સહિતના સીએમસી અધિકારીઓ શામેલ હતા.

ABOUT THE AUTHOR

...view details