ગુજરાત

gujarat

દિલ્હી ચૂંટણી: AAPના 'કેજરી'વાલ આજે ભરશે નામાંકન

By

Published : Jan 21, 2020, 1:00 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ આજે નામાંકન દાખલ કરશે. જેની સામે ભાજપ નવી દિલ્હી બેઠક પર પોતાના ઉમેદવારનું નામ બલદી શકે છે, એવી અટકળો ચાલી રહી છે. સુત્રો અનુસાર ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાંથી સુનિલ યાદવનું નામ પરત ખેંચી શકે છે.

delhi
delhi

દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગત રોજ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ઉમેદવારી પત્ર ભરી શક્યાં નહોતાં. આજે મંગળવારે કેજરીવાલ નામાંકન ભરશે. ઉમેદવારી નોંધાવવા માટેનો આજે અંતિમ દિવસ છે.

સોમવારે કેજરીવાલે કહ્યું હતું કે, 'કાર્યલય 3 વાગે બંધ થઈ ગયું હોવાથી તેઓ ઉમેદવારપત્ર ભરી શક્યા નહોતા. જોકે, તેમ છતાં પણ મને નામાંકન ભરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ રોડ શોમાંથી મારા લોકોને છોડીને હું કેવી રીતે આવી શકું. જેથી હું મારુ નામાંકન આજે ભરીશ.'

નોંધનીય છે કે, નામાંકનની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે. જેથી આજે અરવિંદ કેજરીવાલ પોતાનું નામાંકન ભરશે.

ABOUT THE AUTHOR

...view details