ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચક્રવાત અમ્ફાન: પશ્ચિમ બંગાળને ફરી ઉભુ કરવા સેના પહોંચી

ચક્રવાત અમ્ફાનને કારણે થયેલા વિનાશના પગલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી સેવાઓને ફરી શરૂ કરવા માટે કોલકાતા તેમજ આસપાસના જિલ્લાઓમાં સેનાની 5 ટીમ ફાળવવામાં આવી છે. મમતા સરકારે આ બાબતે માગ કરી હતી.

By

Published : May 24, 2020, 9:53 AM IST

ચક્રવાત અમ્ફાન
ચક્રવાત અમ્ફાન

કોલકાતા: ચક્રવાત અમ્ફાનને કારણે થયેલા વિનાશના પગલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી સેવાઓની ફરી શરૂ કરવા માટે શનિવારે કલકાત્તા તેમજ પ્રભાવિત જિલ્લાઓમાં સેના મોકલવામાં આવી છે.

સેના અધિકારીના જણાવ્યા અનુસાર, શહેરના જુદા જુદા ભાગોમાં તેમજ ઉત્તર અને દક્ષિણ 24 જિલ્લાઓમાં સેનાની 5 કોલમ ગોઠવવામાં આવી હતી. રાજ્યના આ ત્રણ ભાગોમાં ચક્રવાતને કારણે ઘણું નુકસાન થયું છે. સેનાની ફાણવણી પશ્ચિમ બંગાળ સરકારની વિનંતી બાદ કરવામાં આવી હતી.

સેના અધિકારીએ આ બાબતે માહિતી હતી કે, ભારતીય સેના ચક્રવાત અમ્ફાન હાદ કોલકાતા શહેર વહીવટી તંત્રને મદદ કરવા ત્રણ કોલમ પૂરા પાડ્યા છે. દક્ષિણ કોલકાતામાં ટોલીગંજ, બાલિગંજ અને બેહલા ખાતે માર્ગ અને વૃક્ષ ક્લિયરન્સ સાધનોથી સજ્જ સેનાના જવાનોને ફાળવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સેનાની એક કોલમમાં 35 માણસો હોય છે, જેમાં અધિકારીઓ અને જુનિયર કમિશન્ડ અધિકારીનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details