આજના સમયમાં કોઈ પણ વ્યક્તિએ નોકરી માટે, ઓનલાઇન સ્ટડી માટે અથવા ટીવી જોવા માટે કે પછી આરામ માટે લાંબા કલાકો સુધી બેસવાનું થતુ હોય છે. તેનો મતલબ એ છે કે વ્યક્તિ કઈ મુદ્રા અપનાવે છે તેના પરથી લાંબા ગાળે તેના વ્યક્તિત્વને પણ આકાર મળતો હોય છે. બજારમાં ખુરશી અને કાઉચની વિશાળ શ્રેણી ઉપલબ્ધ હોય છે. તેમાંથી આપણે શરીરવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને બનાવેલી વસ્તુ પસંદ કરવી અથવા અત્યંત આરામદાયક વસ્તુ પસંદ કરવી એ આપણે નક્કી કરવાનું છે.
ETV Bharat Sukhibhavaએ આ જ વિષય પર ફિઝીયોથેરાપીસ્ટ, વૈકલ્પીક દવાના જાણકાર તેમજ યોગના શીક્ષક એવા ડૉ. જાનવી કથરાની સાથે વાતચીત કરી હતી. જાણો આ વિષય પર તેમનું શું કહેવું છે.
જ્યારે આપે એક જ જગ્યા પર બેસી રહેવાનું છે ત્યારે
- તમારા પગને જમીન પર અથવા અન્ય કોઈ જગ્યા પર આરામ આપો.
- તમારા ઘુંટણ 90 ડીગરીથી વધારે વળવા જોઈએ નહી.
- તમારા હીપ તમારા ઘુંટણના સાંધાથી થોડે ઉપર રહે તે રીતે રાખો. તેને નીચેથી મજબૂત ટેકો રહે તેનું ધ્યાન રાખો.
- તમારી કમરનો ભાગ આરામદાયક સ્થીતિમાં હોવો જોઈએ તેમજ ખભાના ભાગને આગળની તરફ જુકાવ્યા વીના જ પીઠનો ભાગ ટટ્ટાર રહેવો જોઈએ.
- ગરદન અને દ્રષ્ટિ જમીનની સમાંતર હોવી જોઈએ માટે તે રીતે તમારા ડેસ્ક અથવા કમ્પ્યુટર સ્ક્રીનને ગોઠવો.
- શરીરને અનુકુળ તેમજ આરામદાયક હોય તેવા જ કપડા પહેરો.
- શ્વાચ્છોશ્વાસની પ્રક્રીયા ધીમે ધીમે કરો.
બેસવાની યોગ્ય મુદ્રા પસંદ કરવાથી સાંધાનો દુખાવો અટકાવી શકાય છે. આ ઉપરાંત લોહીનું પરીભ્રમણ અને માથામાં લોહીનું પરીભ્રમણ સારી રીતે થઈ શકે છે. અને તેના કારણે બ્લેક આઉટ, માથાનો દુખાવો અને ભારેપણુ તેમજ થાકની સમસ્યાની શક્યતા નહીવત્ રહે છે.