ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં જણાવાયું છે કે, અયોધ્યા કેસ અને ન્યાયાલયના ચુકાદા મુદ્દે ત્રણ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે અને ટીમનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી જ્ઞાનેશ કુમાર કરશે.
રામ મંદિર પ્રગતિના પંથે, કેન્દ્રએ 3 અધિકારીઓનું અલગ ડેસ્ક બનાવ્યું - home ministry
નવી દિલ્હી: અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટે ગત વર્ષ 9 નવેમ્બરના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ચુકાદાના લગભગ 2 મહિના પછી કેન્દ્ર સરકારે કેસ સાથે જોડાયેલી સંબંધિત તમામ બાબતોની તપાસ માટે એક અલગ ડેસ્ક બનાવ્યું છે. જેની અધ્યક્ષતા અધિક સચિવ કક્ષાના અધિકારી કરશે. આ માહિતી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
![રામ મંદિર પ્રગતિના પંથે, કેન્દ્રએ 3 અધિકારીઓનું અલગ ડેસ્ક બનાવ્યું Ayodhya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5576778-thumbnail-3x2-ayodhya.jpg)
અયોધ્યા મામલો
ગત વર્ષ 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના સંદર્ભમાં આ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં વિવાદીત જમીન પર મંદિર નિર્માણ અંગેની દુવિધાનો અંત આવ્યો છે.
જ્ઞાનેન્દ્ર કુમારના નેતૃત્વમાં હવે ગૃહ મંત્રાલયનો આ નવો વિભાગ અયોધ્યા સાથે જોડાયેલા મુદ્દા પર દેખરેખ રાખશે.