નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ પરપ્રાંતીય અને બાંધકામના મજૂરો માટે દિલ્હીમાં 3,200 કરોડ રૂપિયાના કૌભાડમાં CBI તપાસ માટે કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. જજ વી.કામેશ્વર રાવની બેન્ચે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરેલી સુનાવણી બાદ આ અરજીની સુનાવણી 16 જૂને ડિવીઝન બેન્ચ સમક્ષ કરવા આદેશ આપ્યો છે.
આ અરજી દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ સંસ્થાન નામની NGOએ દાખલ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રેડ યુનિયનો અને કર્મચારીઓની સાંઠગાંઠ વડે મોટાપાયે બાંધકામ મજૂરો તરીકે એવા લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, કે જેઓ ખરેખર મજૂર નથી. તેમને 40થી 50 ટકા સુધીની કટકીની પણ લાલચ આપવામાં આવી હતી.