ગુજરાત

gujarat

By

Published : Aug 19, 2020, 2:21 PM IST

ETV Bharat / bharat

રાયબરેલી જિલ્લામાં નિરીક્ષકે પોતાને ગોળી મારીને આપઘાત કર્યો

રાયબરેલી જિલ્લામાં પોસ્ટ કરેલા આબકારી નિરીક્ષકે તેમના પૂર્વજોના નિવાસ સ્થાને પહોંચીને પોતાને ગોળી મારીને આપઘાત કર્યો છે. આ ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલો સુલતાનપુર જિલ્લાના કુરેભાર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

રાયબરેલી
રાયબરેલી

સુલતાનપુર: કુરેભાર પોલીસ સ્ટેશન વિસ્તારના મુજૌના તિવારીપુર ગામમાં રહેતા રામ ભારત તિવારીના પુત્ર ગણેશ તિવારીએ બુધવારે વહેલી સવારે પોતાને ગોળીમારીને આત્હત્યા કરી હતી. ફાયરિંગનો આવાજ આવતા તેમનો પરિવાર તેમના રૂમમાં પહોંચ્યો હતો, જ્યા તે લોહીથી લથબથ હાલતમાં પડ્યો હતો. આ અંગેની માહિતી પોલીસ સ્ટેશનના અધિકારી મનબોધ તિવારીને આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, તેઓ લાંબા સમયથી પેટની બીમારીથી પીડાઇ રહ્યાં હતા. મૃતકની પત્ની વિજય કુમારીનું દોઢ વર્ષ પહેલા નિધન થયું છે. રાયબરેલી જિલ્લામાં તૈનાત આબકારી નિરીક્ષક ડિપ્રેશનથી પીડિત હોવાનું જણાવામળ્યું હતું. તેમની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. જે બાદ તેઓ પોતાના વતન આવ્યા હતા. પરિવારમાં તેમને ત્રણ પુત્રો છે. પોલીસ સ્ટેશન હેડ મનબોધ તિવારીના જણાવ્યા મુજબ, આ કેસ આપઘાતનો હોવાનું જણાય છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details