ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચક્રવાત 'ઓમ્ફાન'ના ગંભીર થવાની શક્યતા, ઓડિશા અને બંગાળમાં એલર્ટ - ઓમ્ફાન ચક્રવાત લેટેસ્ટ ન્યૂઝ

ચક્રવાત 'ઓમ્ફાન'ના સંભવિત ખતરાને ધ્યાને રાખીને રવિવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય આપતિ નિવારણ બળ (NDRF)ની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ વચ્ચે ઓડિશાએ કહ્યું કે, તે આ ચક્રવાતથી ખરાબ રીતે પ્રભાવિત થનારા 11 લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે તૈયાર છે.

Etv Bharat, Gujarati News, Amphan Cyclone
Amphan Cyclone

By

Published : May 18, 2020, 1:29 PM IST

ભુવનેશ્વરઃ ચક્રવાત 'ઓમ્ફાન' ના સંભવિત ખતરાને ધ્યાને રાખીને રવિવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય આપતિ નિવારણ બળ (NDRF)ની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ વચ્ચે ઓડિશાએ કહ્યું કે, તે આ ચક્રવાતથી ખરાબ રીતે પ્રભાવિત થનારા 11 લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે તૈયાર છે.

NDRFના મહાનિર્દેશક એસ એન પ્રધાને નવી દિલ્હીમાં કહ્યું કે, ભારતીય હવામાન વિભાગના રવિવારે એક રિપોર્ટ અનુસાર બંગાળની ખાડીમાં એક પ્રચંડ ચક્રવાતી તોફાનમાં પરિણમશે અને સંભવિત આગામી 24 કલાકમાં તે વધું પ્રચંડ બની શકે છે.

તેમણે કહ્યું કે, તેનો માર્ગ મુખ્ય રુપે પશ્ચિમ બંગાળ, સાગર દ્વીપ સમુહ અને કદાચ બાંગ્લાદેશ તરફ છે, પરંતુ અમારે તેના પર પુરતું ધ્યાન આપવું પડશે. NDRFએ સમય રહેતા જ પોતાની ટીમને તૈનાત કરી છે.

ચક્રવાતી તોફાન ભારતીય તટ તરફ આગળ વધતા ઓડિશા તથા પશ્ચિમ બંગાળના કેટલાય તટીય જિલ્લાઓમાં તેજ પવનો સાથે ભારે વરસાદની સંભાવના છે.

કોલકાતાના પ્રાદેશિક હવામાન કેન્દ્રના નિયામક જી.કે.દાસે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના સાગર ટાપુઓ અને બાંગ્લાદેશમાં હટિયા આઇલેન્ડ વચ્ચે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ દરિયાકિનારે 20 મેની બપોર અને સાંજની વચ્ચે તોફાન ખૂબ જ તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું આ વિસ્તારોમાંથી પસાર થઈ શકે છે.

ગત્ત વર્ષે ચક્રવાત 'ફોની' સહિત અનેક ચક્રવાતનો સામનો કરી રહેલા ઓડિશાએ ભયજનક વિસ્તારોમાંથી 11 લાખ લોકોને સ્થળાંતર કરવાની વિશેષ વ્યવસ્થા કરી છે.

વિશેષ રાહત કમિશ્નર પી.કે. જેનાએ આ માહિતી આપી.

રાજ્યના 12 દરિયાકાંઠાના જિલ્લાઓ- ગંજામ, ગજપતિ, પુરી, જગતસિંગપુર, કેન્દ્રપદા, ભદ્રક, બાલાસોર, મયુરભંજ, જાજપુર, કટક, ખુર્દા અને નયગઢ હાલ હાઇ એલર્ટ પર છે.

જેનાએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના 12 જિલ્લાઓમાં 809 ચક્રવાત આશ્રય કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 242 લોકો હાલમાં તાળાબંધીની વચ્ચે વિવિધ રાજ્યોમાંથી પરત ફરનારા લોકો માટે તબીબી શિબિર તરીકે ઉપયોગમાં લેવાય છે.

જેનાએ કહ્યું, 'લોકોને સલામત સ્થળોએ લઈ જવાની સ્થિતિમાં 567 ચક્રવાત અને પૂર રાહત આશ્રય કેન્દ્રો અમારી સાથે ઉપલબ્ધ છે. આ સિવાય જરૂર પડે તો 7,092 બિલ્ડિંગોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિએ શનિવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં બેઠક કરી હતી. જેથી કોરાના વાઇરસ સંકટનો સામનો કરી રહેલા ચક્રવાતથી લોકોના જાન-માલનું નુકસાન ઘટાડવાની તૈયારીની સમીક્ષા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details